સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા ઝવેરચંદ
Visit Saurashtra Kranti Homepage here
મેઘાણી ઓડીટોરીયમ પાસે ખોદકામ કરતી વેળાએ ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ગેસ લીકેજ થતા આગ લાગી હતી. જે આગ ફાટી નિકળતા હિટાચી મશીન આગની લપેટમાં આવ્યું હતું.
જેમાં આજે બુધવારે સવારના સમયે બીએમસીની ટીમ દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ પાસે ડ્રેનેજ લાઈનનું ખોદકામ ચાલી રહ્યું હતું. તે સમયે ભૂગર્ભ ગેસ લાઈન તૂટતાં ગેસ લીક થયો હતો. આથી ખોદકામ કરતો હિટાચી મશીનનો ચાલક વાહન ઘટના સ્થળે છોડી દૂર જતો રહ્યો હતો.
એ દરમ્યાન આગ લાગતાં હિટાચી મશીન આગની લપેટમાં આવી ગયું હતું. આ અંગે ફાયરબ્રિગેડ તથા ગુજરાત ગેસના અધિકારીઓને જાણ કરાતાં બંને કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Read About Weather here
જેમાં ગેસનો પ્રવાહ બંધ કરાવી ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં હિટાચી મશીનને ખાસ્સુ નુકશાન થયું હતું, જ્યારે અન્ય કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here