ગણતંત્ર દિવસે વડાપ્રધાન મોદી દ્વારા આ ટોપી પહેરવી એ તેમના તરફથી જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હોવાનું માનવામાં આવે છે. તેમના આ અંદાજને ચૂંટણીનો રંગ પણ માનવામાં આવે છે. નેશનલ વોર મેમોરિયલમાં જવાનોને સલામી આપવા ગયેલા વડાપ્રધાન મોદીએ આજે કુર્તો-પાયજામો પહેર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ગળામાં મણિપુરનો ગમછો અને માથા પર કાળા રંગની ઉત્તરાખંડી ટોપી પહેરી હતી. આ ટોપીની ખાસિયત એ હતી કે એના પર બ્રહ્મકમલ હતું, જેને ખાસ સ્વર્ગસ્થ CDS બિપિન રાવત પહેરતા હતા.નોંધનીય છે કે ઉત્તરાખંડ અને મણિપુરમાં ચૂંટણી આવી રહી છે. આ બંને રાજ્યના સંકેત તરીકે માનવામાં આવે છે.
ઉત્તરાખંડના CMએ કર્યું ટ્વીટઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ ટ્વીટ કર્યું છે. એમાં તેમણે લખ્યું છે કે માનનીય વડાપ્રધાને બ્રહ્મકમલથી સુસજ્જિત દેવભૂમિ ઉત્તરાખંડની ટોપી પહેરીને અમારા રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને ગૌરવ અપાવ્યું છે.CDS રાવત ઘણા કાર્યક્રમોમાં આ પ્રકારની ટોપીમાં જોવા મળ્યા છે.
Read About Weather here
ઓ ઉત્તરાખંડના હતા અને બ્રહ્મકમલ ઉત્તરાખંડનું રાજ્ય પુષ્પ છે. તેથી તેઓ આ રીતે તેમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હતા. નોંધનીય છે કે ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ શહીદ રાવતને મરણોપરાંત પદ્મ વિભૂષણ પુરસ્કાર સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.CDSને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યાતામિલનાડુ હેલકોપ્ટર ક્રેશમાં પહેલા ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપિન રાવત શહીદ થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here