આ ગાઇડલાઇનનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ – ઇશ્યૂઝ એન્ડ કંડક્ટ) દિશાનિર્દેશો, 2022 નું નામ આપવામાં આવ્યું છે. આ ગાઇડલાઇન મુજબ જો બેંક સાત વર્કિંગ દિવસોમાં ક્રેડિટ કાર્ડ બંધ કરવાની પ્રક્રિયા પૂરી નહીં કરે તો તેમને ખાતું બંધ થાય ત્યાં સુધી દરરોજ 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ ગાઈડલાઈન 1 જુલાઈ, 2022થી અમલમાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
આ ગાઈડલાઇનમાં ક્રેડિટ કાર્ડને લગતા નિયમો ભારતમાં કાર્યરત અનુસૂચિત બેંકો (પેમેન્ટ્સ બેંક, સ્ટેટ કો-ઓપરેટિવ બેંકો અને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક સિવાય) અને NFBCને લાગુ પડશે.જો ક્રેડિટ કાર્ડધારકે બાકીની તમામ રકમ ચૂકવી દીધી હોય તો ક્રેડિટ કાર્ડ બંધ કરવાની વિનંતી સાત દિવસની અંદર પ્રોસેસ કરવાની રહેશે.
કાર્ડધારકને એસએમએસ અથવા ઇ-મેઇલ દ્વારા તરત જ ક્રેડિટ કાર્ડ બંધ થવાની જાણ કરવી જોઈએકંપનીઓકાર્ડધારકોને પોસ્ટ અથવા અન્ય માધ્યમથી ક્લોઝર વિનંતીઓ મોકલવા માટે દબાણ કરી શકશે નહીં. આ વિનંતીની પ્રાપ્તિમાં વિલંબ કરી શકે છે.જો કાર્ડ આપનાર કંપની કે બેંક સાત વર્કિંગ દિવસોમાં ક્રેડિટ કાર્ડ બંધ કરવાની પ્રક્રિયા પૂરી નહીં કરે તો તેમને એકાઉન્ટ બંધ ના થાય ત્યાં સુધી દરરોજ 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.
Read About Weather here
જો ક્રેડિટકાર્ડનો ઉપયોગ એક વર્ષથી વધુ સમય સુધી ના થાય તો બેંક કાર્ડધારકને જાણ કર્યા બાદ ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.જો કાર્ડધારક 30 દિવસની અંદર કોઈ જવાબ ના આપે અને જો તમામ બિલ ક્લિયર થઈ જાય તો કાર્ડ ઇસ્યુ કરનાર કાર્ડ બંધ કરી શકે છે. ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કરતી વખતે જો ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં થોડું ક્રેડિટ બેલેન્સ હોય તો તેને કાર્ડ હોલ્ડરના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું પડે છે.કાર્ડ ઇસ્યુ કરનારે કાર્ડ બંધ કર્યાના ૩૦ દિવસની અંદર ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને આપવાની રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here