જોકે, સિદ્ધાર્થ તથા કિઆરાએ ક્યારેય પોતાના સંબંધોનો ના તો સ્વીકાર કર્યો હતો કે ના તો બ્રેકઅપ અંગે વાત કરી હતી. જોકે, હવે લાગી રહ્યું છે કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. બી ટાઉનમાં છેલ્લાં થોડાં સમયથી સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણી વચ્ચે બ્રેકઅપ થયું હોવાની ચર્ચા થતી હતી.’ઇટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, સિદ્ધાર્થ તથા કિઆરાના નિકટના મિત્રોએ કહ્યું હતું કે કિઆરાએ સિદ્ધાર્થને ‘ભૂલ ભુલૈયા 2’ના પ્રીમિયર માટે ઇન્વાઇટ કર્યો હતો. તેણે સિદ્ધાર્થને ફોન કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
કિઆરાના ફોન બાદ સિદ્ધાર્થ પ્રીમિયરમાં આવ્યો હતો અને એક્ટ્રેસને ગળે લગાવી હતી. આ બંનેનો આ વીડિયો પણ વાઇરલ થયો હતો.વધુમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે કિઆરાએ સિદ્ધાર્થને ફોન કર્યો તો બંને ઘણાં જ ઇમોશનલ થઈ ગયા હતા. બંનેએ પેચઅપ કરવાનું નક્કી કરી લીધું હતું. બંને એકબીજા વગર રહી શકે તેમ નથી. તેમને એ વાતનો અહેસાસ થઈ ચૂક્યો હતો કે તેમને ભૂલ કરી હતી અને ગુસ્સામાં આવીને એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું હતું.
Read About Weather here
આ ફોન ઘણો જ ઇમોશનલ હતો. માનવામાં આવે છે કે હવે બંને એક થઈ ગયા છે અને ફરી વાર સાથે જોવા મળશે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિઆરા ‘ભૂલ ભુલૈયા 2’ બાદ હવે ‘જુગ જુગ જિયો’માં જોવા મળશે. આ ફિલ્મ 24 જૂને થિયેટરમાં રિલીઝ થશે. સિદ્ધાર્થ મલ્હોત્રાની વાત કરીએ તો તે ‘મિશન મજનુ’, ‘યૌદ્ધા’ તથા વેબ સિરીઝ ‘ઇન્ડિયો પોલીસ ફોર્સ’માં જોવા મલશે. ફિલ્મમાં વરુણ ધવન, અનિલ કપૂર, નીતુ સિંહ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here