કાલથી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો શુભારંભ

કાલથી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો શુભારંભ
કાલથી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો શુભારંભ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને 2022-23ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના કેટલીક નવી પહેલ લાગુ કરવામાં આવેલ છે. આવતીકાલથી મિલકત વેરા/પાણી ચાર્જના એડવાન્સ પેમેન્ટ પર વળતર યોજનાનો પ્રારંભ થવા જઇ રહેલ છે, તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. 31 મે સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર 10% વળતર આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5% વળતર આપવામાં આવશે. ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કતધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 1% આપવામાં આવશે. ઉપરોકત (1) તથા માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1 % આપવામાં આવશે.. ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ 40 % થી વધારે ડિસેબિલિટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલ્કતોને વિશેષ 5 % વળતર આપવામાં આવશે.

Read About Weather here

1 જૂન થી 30 જૂન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર 5% વળતર આપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલ્કતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5% વળતર આપવામાં આવશે. ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 1% આપવામાં આવશે.ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1 % આપવામાં આવશે.ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ 40 % થી વધારે ડિસેબિલિટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રકેણાંક મિલ્કતોને વિશેષ 5 % વળતર આપવામાં આવશે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here