જેમાં કપાતર પુત્ર પોતાની માતાને રૂમમાં બંધ કરીને નોકરી પર જતો રહ્યો હતો. અને ૨૦ દિવસ સુધી માતા ભૂખ્યા તરસ્યા રહીને રૂમમાં પડી રહ્યા હતા. માતા પેટે પાટા બાંધીને પણ પુત્રનો ઉછેર કરતી હોય છે, પણ જયારે એ પુત્ર મોટો થઈ જાય છે ત્યારે માતાને એકલો છોડી દેતો હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂકયા છે. પણ ઉત્ત્।ર પ્રદેશના પીલીભીતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જો કે, સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરતાં પોલીસે તેઓને હોસ્પિટલ ખસેડ્યા હતા.
પણ સારવાર દરમિયાન માતાનું મોત નિપજયું હતું. આ કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને કળિયુગી પુત્ર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
ઉત્ત્।ર પ્રદેશના પીલીભીત જિલ્લાના બીસલપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતાં રામલીલા મેદાન નજીક આવેલાં આવાસમાં લીલા દેવી છેલ્લા એક વર્ષથી પોતાના પુત્ર સાથે રહી રહી હતી. જો કે, ૨૦ દિવસ પહેલાં પુત્ર માતાન ઘરમાં બંધ કરીને કામ પર ચાલ્યો ગયો હતો અને પરત જ આવ્યો ન હતો.
ભૂખ અને તરસને કારણે માતાની હાલત સતત બગડતી જઈ રહી હતી. તે ખાવા અને પીવા માટે બારીમાંથી પાડોશીઓને મદદની પોકાર લગાવતી હતી. પાડોશીઓ બારીમાંથી વૃદ્ઘ માતાને ખાવા અને પીવાનું આપતા રહ્યા હતા.
જો કે, ઘરમાં બંધક માતાને પૂરતા પ્રમાણમાં ખાવા અને પીવાનું ન મળતા ભૂખ અને તરસને કારણે તેમની હાલત ખુબ જ બગડી ગઈ હતી. અને ગુરુવારે જયારે વૃદ્ઘ માતા બારીમાં જોવા ન મળ્યા ત્યારે પાડોશીઓએ બારીની અંદર જોયું તો માતા પથારી પર બેભાન પડ્યા હતા.
જે બાદ જાગેલાં પાડોશીઓએ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે તાત્કાલિક દ્યટનાસ્થળે પહોંચીને વૃદ્ઘ માતાને હોસ્પિટલ લઈ ગયા હતા. પણ શુક્રવારે સારવાર દરમિયાન વૃદ્ઘ માતાએ દમ તોડી દીધો હતો.
Visit Saurashtra Kranti Homepage here
જે બાજ વૃદ્ઘ મહિલાને રૂમમાંથી નીકાળી સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યા હતા, જયાં મહિલાનું મોત નિપજયું હતું. આ મામલે જાણકારી આપતાં પોલીસ અધિકારી પ્રશાંત સિંહે જણાવ્યું હતું કે, વૃદ્ઘ મહિલા ઘરમાં બંધ હોવાની સૂચના સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here