એક ગામમાં બધા જ લોકો છે ઠીંગુજી…!

એક ગામમાં બધા જ લોકો છે ઠીંગુજી...!
એક ગામમાં બધા જ લોકો છે ઠીંગુજી...!
સદીઓથી યાંગ્સી ગામને એવો શ્રાપ મળ્યો છે, જે માત્ર ચીન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે રહસ્ય છે. દુનિયામાં આવા ઘણા વણઉકેલ્યા રહસ્યો છે, જેના પરથી આજદિન સુધી પડદો ઊંચકાયો નથી.

Visit Saurashtra Kranti Homepage here

આવું જ એક રહસ્ય ચીનના એક ગામનું છે.  આ શાપિત ગામ ચીનના સિચુઆન પ્રાંતમાં છે. તેનું નામ યાંગસી છે. યાંગસી નામના આ ગામમાં મોટાભાગની વસ્તી નાના કદની છે.

આ ગામની કુલ વસ્તીના પચાસ ટકા લોકો વામન છે. તેમની કુલ લંબાઈ ૨ ફૂટથી માંડીને માત્ર ત્રણ ફૂટ સુધીની છે. ચીનનાં આ ગામમાં જન્મેલા બાળકોની ઊંચાઈ સામાન્ય રીતે ૫દ્મક ૭ વર્ષની ઉંમર સુધી વધે છે,

પરંતુ તે પછી ઉંમર વધવાનો સિલસિલો અટકી જાય છે. એટલે કે, તેમની લંબાઈ ૨ ફૂટથી ૩ ફૂટ ૧૦ ઇંચ સુધીની હોય છે. તે જ સમયે, કેટલાક લોકોની ઊંચાઈ ૧૦ વર્ષની ઉંમર સુધી વધી જાય છે.

એક તરફ આજુબાજુના ગામના લોકોનું માનવું છે કે, આ ગામ પર કોઈ દુષ્ટ શકિતનો પડછાયો છે. જેના કારણે અહીંના લોકોની ઊંચાઈ વધી નથી શકતી.

બીજી તરફ એવું માનવામાં આવે છે કે આ ગામ પ્રાચીન સમયથી જ શ્રાપિત છે. જેની અસર આજે પણ ગામ પર જોવા મળે છે. લોકોના વામન થવા પાછળનું રહસ્ય શું છે, છેલ્લા ૬૦ વર્ષમાં વૈજ્ઞાનિકો પણ શોધી શકયા નથી.

આ ગામના વડીલોનું કહેવું છે કે દાયકાઓ પહેલા ગામમાં એક ખતરનાક બીમારીએ ભરડો લીધો હતો. બીમારીના કારણે આજે પણ આ ગામના બાળકોની ઊંચાઈ થોડા સમય પછી અટકી જાય છે.

ચીનના આ ગામમાં ૬૦ વર્ષથી આવું થઈ રહ્યું છે. આ ગામમાં લોકો વામન હોવા અંગે દ્યણી વખત સંશોધનો પણ થયા હતા, પરંતુ આજ સુધી વૈજ્ઞાનિકો આ સમસ્યાનો ઉકેલ શોધી શકયા નથી.

ગામના કુદરતી સંસાધનો પર પણ સંપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું છે. આ પણ એક કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, વામન થવાનું કારણ તે ઝેરી ગેસ પણ હોઈ શકે છે

Read About Weather here

જે જાપાને ઘણા વર્ષો પહેલા ચીનમાં છોડ્યો હતો. પરંતુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બીજીબાજુ, કેટલાક વૈજ્ઞાનિકો જણાવે છે, ગામની જમીનમાં પારાની માત્રા અધિક માત્રામાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here