એકસાથે 12 સ્તંભ અને સમૂહલગ્નોત્સવમાં માનવ મહેરામણ ઉમટયો

એકસાથે 12 સ્તંભ અને સમૂહલગ્નોત્સવમાં માનવ મહેરામણ ઉમટયો
એકસાથે 12 સ્તંભ અને સમૂહલગ્નોત્સવમાં માનવ મહેરામણ ઉમટયો
રાજકોટ તાલુકાના ગઢકા ખાતે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા તા. 14, 15, 16 મે દરમ્યાન ત્રિ-દિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3 દિવસ મહારૂદ્રી યજ્ઞ, ભવ્ય લોકડાયરો, એક સાથે 12 સ્તંભ ઉભા કરવામાં આવ્યા હતા અને 51 દીકરીઓએ સંતો- મહંતોની ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલા પાડયા હતા. આ ત્રણ દિવસ દરમ્યાન અંદાજીત ત્રણ લાખથી વધુ માનવ મહેરામણ ઉમટયો હતો. આ લાખનોની જનમેદની વચ્ચે ભરવાડ સમાજે સ્વયંશિસ્ત જાળવી એક નવો રાહ ચિંધ્યો છે.
મૂળવાનાથની જગ્યામાં યોજાનાર આ ધાર્મિક મહોત્સવમાં તા. 14, 15, 16 ત્રણ દિવસ શાસ્ત્રોકવિધિથી મહારૂદ્રી યજ્ઞ યોજાયો હતો. તા. 15 ના રોજ રાત્રે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં 80 થી વધુ જનમેદની ઉમટી હતી. કલાકારો દેવાયત ખવડ, બીરજુ બારોટ, કૌશિક ભરવાડ, ખીમજીભાઇ ભરવાડ, નિલેષ સોરીયા, હેમત મુંધવા, વિજુબેન આહીર, રીંકુબેન ભરવાડ, સાજીદ મીર (તબલાવાદક), મહેશ બારોટ વગેરે કલાકારો સાહિત્ય રસ પીરસ્યો હતો. તા. 16 ના રોજ સવારે 9 વાગ્યે ગુજરાતમાં પ્રથમવાર એવા એકસાથે 12 સંવરા મંડપ ઉભા કરવામાં આવ્યા હતા. તેમજ 51 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા અને સંતો-મહંતો, રાજકીય તથા સામાજીક આગેવાનો અને આમંત્રિત મહેમાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ મહામંગલમય પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂ પરમપૂજય શ્રી ઘનશ્યામપુરીબાપુ તોરણીયાના નકલંકધામના મહંત પરમપુજયશ્રી રાજેન્દ્રદાસબાપુ, પરબધામના મહંત પરમપૂજય કરશનદાસબાપુ, ગઢકાના મહંત રામદાસબાપુ, રાજપીપળાના મહંત ધનશ્યામદાસબાપુ, દ્વારકા મૂળવાનાથની જગ્યાના મહંત શ્રી બાલારામબાપુ, શિવપુરીધામ દ્વારકાના મહંત શ્રી મુનાબાપુ, બાવળીયાળીના મહંત શ્રી રામબાપુ, આંબરડીના મહંત શ્રી ગોપાલભગત, ગણેશભગત સહીતના નામી અનામી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જસદણ વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા, રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, રાજકોટ જીલ્લાના પ્રભારી અને રાજકોટના પૂર્વ મેચર રક્ષાબેન બોળીયા, સાંસદસભ્ય રમેશ ધડુકના પુત્ર નીમીષભાઇ ધડુક, રાજકીય તથા સામાજીક આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના વડાઓ, સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ ઉપસ્થિતિ રહયા હતા. ત્રણ દિવસ દરમ્યાન ત્રણ લાખથી વધુ ભાવિકો ઉમટી પડયા હતા. જેના માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો તમામ ખર્ચ સમસ્ત સાનીયા પરીવાર તરફથી આપવામાં આવ્યો હતો.

Read About Weather here

આ ત્રિ-દિવસીય મહોત્સવને સફળ બનાવવા વિહાભાઇ મુંધવા, કાનાભાઇ મુંધવા, મેરામભાઇ મુંધવા, રાણાભાઇ મુંધવા, કાળુભાઇ ધ્રાંગીયા, અરજણભાઇ સરસીયા, ઝાલાભાઇ સરસીયા, કરશનભાઇ ફાંગલીયા, કેયુરભાઇ ઢોલરીયા (સરપંચ ગઢકા), રાજુભાઈ જુંજા, વિજયભાઇ ગમારા, કાળુભાઇ મુંધવા, રાણાભાઇ ગોલતર, કરણાભાઇ મેવાડા, ધીરૂભાઇ ખોડા, કરણાભાઇ બાંભવા, જીલાભાઇ મુંધવા, નવધણભાઈ મેવાડા, છગનભાઇ મેવાડા, છગનભાઇ બાંભવા, જીવણભાઇ ઝાપડા, મહેશભાઇ માટીયા, બાબુભાઇ ગમારા, દિનેશભાઇ ટોળીયા, ચીનાભાઇ સાનીયા, વિનુભાઇ લામકા, વશરામભાઇ મુંધવા, રઘુભાઇ બાંભવા, ધીરૂભાઇ ખીટ, હિરાભાઇ બાંભવા, નારણભાઇ ટારીયા, નાજાભાઇ સાનીયા, હિતેષભાઇ સાર્નીયા, ટીનાભાઇ સાનીયા (અમદાવાદ), પ્રવિણભાઇ ગમારા, કાળુભાઇ ખીટ, મચ્છાભાઇ ઝાપડા, ભીખાભાઇ પડસારીયા, લીંબાભાઇ માટીયા, પરેશભાઇ સોરીયા, મનુભાઇ બાંભવા, ગોપાલભાઇ સરસીયા, ધીરજભાઇ મુંધવા તથા ગઢકાના સમસ્ત ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા. તેમ જણાવ્યું છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here