ઉના શહેર નજીક આવેલ મુખ્ય પુલ પર પરિસ્થિતિ ભયાનક જોવા મળી ત્યારે પુલની વાત કરીએ ત્યારે અનેકો સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે જ્યાં જોઈએ ત્યાં થોડુક સમારકામ કરી અને તંત્ર સંતોષ માને છે આ પુલ પર હજારો ભારી ભરકમ વાહનો પસાર થાય છે ત્યારે અનેક અકસ્માતો પણ થયા છે. પરિસ્થિતિ જેમની તેમ જોવા મળે છે સરકાર આવે છે અને જાય છે ચૂંટણીઓ આવે છે અને જાય છે લોકો માટે સુખાકારી અને પુલને નવું નિર્માણ થતું નથી વાત અહીં અટકતી નથી રજૂઆતોના ઢગલાબંધ થાય છે પણ આ તંત્રની આંખો ક્યારે ખુલશે અને આ નવો પૂલનું નિર્માણ ક્યારે થશે તેની આતુરતાપૂર્વક તાલુકા પંથકના લોકો વાટ જોઈ રહ્યા છે.(1.16)
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here