આર્યન જેલના વોર્ડમાં 250 કેદીઓની સાથે રહેશે

આર્યન જેલના વોર્ડમાં 250 કેદીઓની સાથે રહેશે
આર્યન જેલના વોર્ડમાં 250 કેદીઓની સાથે રહેશે
આજે જ કોરોન્ટિનનો પીરિયડ ખતમ થયા બાદ આર્યનને ખાસ વોર્ડમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. આર્યનની સાથે 5 અન્ય લોકોને પણ આ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

તેઓએ આગામી 6 દિવસ સુધી 250થી વધુ લોકોની સાથે ઘણું જ કષ્ટદાયક જીવન વિતાવશે. ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસના આરોપી અને કિંગ ખાનના પુત્ર આર્યન હાલ તો 20 ઓક્ટોબર સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં જ રહેશે.

મુંબઈના સ્પેશિયલ NDPS કોર્ટે ગુરૂવારે આ મામલાની સુનાવણી કરી જે બાદ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આર્યન આર્થર રોડ જેલમાં કેદી નંબર N956 બની ગયો છે

સવારે 6 વાગ્યે જેલ અધિકારી બેરેકમાં આવે છે અને કેદીઓને જગાડવા માટે પ્લેટ કે પછી સિટી વગાડે છે. જે બાદ તમામને લાઈનમાં બેસાડીને કે ક્યારેક ક્યારેક ઊભા કરીને એટેન્ડસ લે છે.

આર્યનને પણ નિયમ મુજબ હવે 6 વાગ્યે ઉઠવું પડશે. સવારે 7 વાગ્યે તેને ચા અને નાસ્તામાં પૌઆ કે શિરો આપવામાં આવશે. સવારે 7થી 10 વાગ્યાનો સમય સ્નાનનો હોય છે, આ દરમિયાન આર્યને પણ બ્રેકફાસ્ટ કરીને સ્નાન કરવાનું રહેશે.

સ્પેશિયલ કોરોન્ટાઈન વોર્ડમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ થયા બાદ હવે આર્યનની ખરેખરની મુશ્કેલી વધશે. તેને જે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે

ત્યાંની કેપિસિટી 50થી 80 લોકોની છે, પરંતુ હાલની સ્થિતિમાં ત્યાં 300થી વધુ કેદીઓને એક સાથે રાખવામાં આવ્યા છે.

આર્થર રોડ જેલના અધીક્ષક નીતિન વાયચલે કહ્યું છે કે આર્યનને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવતી. આવી સ્થિતિમાં આર્યનને એક એવી જગ્યાએ 6 દિવસ પસાર કરવા મુશ્કેલીભર્યા રહેશે, જ્યાં સુતા સમયે પડખું ફેરવવું પણ મુશ્કેલ છે.

દરેક બેરેકના એક ખૂણામાં મંદિર છે અને બીજા ખૂણામાં કુરાન રાખવામાં આવે છે.

જેલના નિયમ મુજબ સવારે 11:30થી 12:30 સુધી તમામ કેદીઓને બપોરનું ભોજન આપવામાં આવે છે. જેલના તમામ બેરેકમાં એક ટીવી છે. જેલની અંદર બંધ કેદીઓ FM રેડિયો સાંભળી શકે છે. નિયમ મુજબ આર્યન પણ બપોરે 12 વાગ્યાથી બપોરે 1:0 વાગ્યા સુધી ટીવી જોઈ શકે છે.

બપોરનું ભોજન કર્યા બાદ કેદીઓને અડધો કલાક સુધી બેરેકમાં ફરવાની મંજૂરી છે, પરંતુ હાલની સ્થિતિમાં બેરેકમાં એકબીજાને અથડાયા વગર તમે યોગ્ય રીતે ફરી પણ ન શકો. એવામાં આર્યનને પણ આ રીતે 6 દિવસ કાપવા પડશે.

સૂત્રો મુજબ 8 ઓક્ટોબરે જેલમાં એન્ટ્રીની સાથે જ આર્યનના સંપૂર્ણપણે કપડાં ઉતારીને તેમની તપાસ કરવામાં આવી. આ તમામ કવાયત એટલા માટે કરવામાં આવે છે

કે જેથી ક્યાંક કોઈ કેદીએ પોતાની પાસે ડ્રગ્સ, ચાકૂ, તાશના પત્તા કે પછી અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ તો છુપાવીને રાખી નથી ને. તપાસ બાદ આર્યનના કપડાં પાછા આપી દેવામાં આવ્યાં અને તેને તેના વોર્ડમાં શિફ્ટ કરી દીધો.

બપોરે 3 વાગ્યે બિલ્ડિંગનો દરવાજો ખુલે છે. એક બેરેકમાં ચાર દરવાજા હોય છે અને સામાન્ય રીતે માત્ર એક જ દરવાજો ખોલવામાં આવે છે. આર્થર રોડની એક ઈમારતમાં ચાર બેરેક છે. 3:30 વાગ્યે ચાનો સમય હોય છે.

જેમાં કેદીઓને અડધો કલાક સુધી ઈમારતની અંદર આવેલી પરસાળમાં ફરી શકે છે કે આરામ કરી શકે છે. સાંજે 6 વાગ્યે બિલ્ડિંગનો ગેટ બંધ થઈ જાય છે અને તમામ કેદીઓને પોતાના બેરેકમાં મોકલવામાં આવે છે. જે બાદ ફરીથી એટેન્ડસ લેવામાં આવે છે.

સાંજ 7 વાગ્યાની આસાપસ રાતના ભોજનનો સમય શરૂ થઈ જાય છે. આ સમયે ખાવાનું બુફેની જેમ નથી આપવામાં આવતું, તમામને એક વખત ખાવાનું પીરસી દેવામાં આવે છે. દરેક વખતે લાઈનમાં કેદીઓને 15થી 20 મિનિટ લાગે છે.

કેટલાંક કેદીઓને રાત્રે 9:30 વાગ્યા સુધી ભોજન કરી શકે છે. આર્યનને પણ રાત્રે 9:30 વાગ્યા સુધી પોતાનું ભોજન ખતમ કરવાનું રહેશે. રાત્રે 9:30 વાગ્યે આર્યનને સુવા માટે જગ્યા દેખાડવામાં આવશે. આ જગ્યા સમયાંતરે બદલાતી રહે છે.

સાંજે 4થી 6 વાગ્યા વચ્ચે આરોપીઓને કપડાં ધોવા કે પછી સ્નાન કરવાની છૂટ હોય છે. જેલમાં કેદીઓને નહાવા માટેની જગ્યા ઓપન છે. અહીં એક સિમેન્ટનું નાનકડું તળાવ જેવું હોય છે જેમાં પાણી ભરાયેલુ રહે છે અને દરેક કેદીને આ પાણીથી ન્હાવા અને કપડાં ધોવાના રહે છે.

સવારે પાણી ચોખ્ખું હોય છે, પરંતુ એક વખત જ્યારે લોકો સ્નાન કરવાનું શરૂ કરે છે, જે બાદ સમય જતા તે ગંદું થઈ જાય છે. આર્યન પણ યોગ્ય સમયે નાહી ન શક્યો તો તેને ગંદા પાણીથી નહાવું પડશે. કેદીઓ અને આરોપીઓને જલદીથી સ્નાન કરવું પડે છે કેમકે ભીડ ઘણી હોય છે.

આ ઉપરાંત ન્વાહાવાળી જગ્યાએ નાના-નાના ટેન્ક લગાડવામાં આવ્યા છે, જ્યાં સવારે 7થી 10 અને સાંજે 4થી 6 વચ્ચે પાણી આવે છે. આ ટેન્કની સંખ્યામાં પણ ઓછી હોય છે અને દરેક કેદી પોતાનો વારો આવે તેની રાહ જુએ છે.

જેલ અધીક્ષક મુજબ આર્યનને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવીત તેથી તેને પણ પોતાના વારા મુજબ જ ત્યાં જવું પડશે.

એક બેરેક માટે 50 શૌચાલય છે, જેમાંથી 10 શૌચાલય બેરેકની અંદર બનાવવામાં આવ્યા છે. શૌચાલયની અંદર નળની કોઈ જ વ્યવસ્થા નથી. કેદી કે આરોપીએ પાણીનો એક લોટો અંદર લઈ જવો પડે છે.

અહીંના તમામ શૌચાલય ભારતીય શૈલીના છે અને મોટાભાગે ઘણાં જ ગંદા હોય છે. આર્યને આવા ગંદા ટોયલેટનો ઉપયોગ કરવો પડશે. એક વખત બેરેકનો દરવાજો બંધ થયા બાદ બહાર ન આવી શકો, એવામાં કેદીઓએ આ 10 શૌચાલયનો જ ઉપયોગ કરવો પડે છે.

Read About Weather here

આર્યને પણ આ ટોયલેટનો જ ઉપયોગ કરવાનો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here