આઈટી ઓડિટ રિટર્ન ફાઈલ કરવા મુદત વધતા રાહત

આઈટી ઓડિટ રિટર્ન ફાઈલ કરવા મુદત વધતા રાહત
આઈટી ઓડિટ રિટર્ન ફાઈલ કરવા મુદત વધતા રાહત
ઈન્કમટેક્સ ઓડિટ રિટર્ન ફાઈલ કરવાની મુદત વધી જતા સૌરાષ્ટ્રના અંદાજિત 5 હજારથી વધુ કરદાતાને રાહત મળી છે. હવે આ કરદાતાઓને પેનલ્ટી નહિ ભરવી પડે. આ પહેલા 31 ઓક્ટોબરના રોજ ઓડિટ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ મુદત હતી, પરંતુ હવે કરદાતા 7 નવેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

આજથી હવે ફરી પાછા રિટર્ન અને જીએસટીના અલગ અલગ ભરવા પાત્ર થતા ટેક્સ ફાઈલ કરશે. ચાલુ નાણાકીય વર્ષ 2022-2023નું ત્રીજું ક્વાર્ટર ડિસેમ્બરમાં પૂરું થશે ત્યારે ઈન્કમટેક્સનો એડવાન્સ ટેક્સ પણ ભરવામાં આવશે. આ વખતે પણ ઈન્કમટેક્સને આપેલો ટાર્ગેટ પૂરો થઈ જાય તેવી આશા સેવાઈ રહી છે. દિવાળી પર્વમાં દરેક સેગમેન્ટમાં સારા વેપાર થયા છે. જેને કારણે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલમાં ગ્રોથ નોંધાશે. ટેક્સ નહિ ભરનાર પર આવકવેરા વિભાગની નજર રાખવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here