અન્ન સુરક્ષા કાર્ડ ધારકો પૈકીના અઢી લાખ લોકોએ છ મહિનાથી અનાજ લીધુ નથી : રાજયમાં ગરીબીની ટકાવારીમાં ઘટાડો થઇ રહયાનો શુભ સંકેત
દેશના કેટલાક સમૃધ્ધ અને સુખી રાજયો પૈકીના એક ગણાતા આપણા ગુજરાતમાં ગરીબો અને ગરીબાઇની ટકાવારીમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થઇ રહયો હોય એવા શુભ સંકેતો મળી રહયા છે.
Subscribe Saurashtra Kranti here
રાજયો સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા હેઠળ અપાયેલા અને મફત અનાજ મેળવી રહેલા ગરીબો આવા એનએફએસએ કાર્ડ ધરાવતા લાખો લોકોએ કેટલાય મહિનાઓથી સસ્તા અનાજની દુકાનો પરથી અનાજની ખરીદી કરી નથી.
રાજય સરકારના સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ અઢી લાખ જેટલા કાર્ડ ધારકોએ છ મહિનાથી સસ્તુ અનાજ ઉપાડયું નથી. ત્રણ લાખ કાર્ડ ધારકોએ તો છેલ્લા ત્રણ મહિનાથી રાશનની દુકાનો પરથી અનાજનો જથ્થો લીધો નથી.
કચ્છમાં 12076 કાર્ડ ધારકો, અમદાવાદમાં 15400 અને સુરતમાં 13912 કાર્ડ ધારતો, પંચમહાલમાં 12003 કાર્ડ ધારકોએ સસ્તા અનાજની સેવાનો લાભ લીધો નથી.
આ આંકડા દર્શાવે છે કે, આ કાર્ડ ધારક પરીવારો આર્થીક રીતે સકશમ થઇ ગયા હોય તો જ સસ્તુ અનાજ ખરીદ કર્યુ નથી એવું અધિકારીઓ માની રહયા છે
Read About Weather here
અને અધિકારી વર્તુળ એવું પણ કહી રહયા છે કે, અનાજનો જથ્થો અપુરતો હોવાથી કાર્ડ ધારકોએ અનાજ લીધુ નથી એવું બન્યું નથી. જથ્થો પુરતો અપાયો છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here