અમદાવાદ:14 અને 15 મે ના રોજ ડોકટરો ભેગા થઈ ધરણા કરશે…!

અમદાવાદ:14 અને 15 મે ના રોજ ડોકટરો ભેગા થઈ ધરણા કરશે…!
અમદાવાદ:14 અને 15 મે ના રોજ ડોકટરો ભેગા થઈ ધરણા કરશે…!
અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન દ્વારા સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે 14 અને 15 મેના રોજ બે દિવસ હડતાળનું એલાન કરીને બે દિવસ સંપૂર્ણપણે હોસ્પિટલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે હવે ડોકટરો સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લડી લેવાના મૂડમાં છે. ડોકટરોએ અવારનવાર રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતાં છેવટે ડોકટરો હડતાળ કરશે. આ હડતાળના કારણે હજારો દર્દીઓને તકલીફનો સામનો કરવો પડી શકે છે. જેના માટે ડોકટરોએ માફી પણ માગી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ડોકટરો ભેગા થઈ ધરણા કરશે, “ફુટપાથ ઓપીડી” જેવા કાર્યક્રમો યોજશે.AHNA ના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે 2014 પહેલા જે હોસ્પિટલ બની કે બિલ્ડીંગ બની તેને બીયુ પરમિશન લેવા માટે તકલીફ પડી છે.

Visit Saurashtra Kranti Homepage here

મોટી હોસ્પિટલમાં જે નિયમો લાગુ કરવામાં આવ્યા તે જ નાના ક્લિનિક અને નર્સીગ હોમ્સ માટે લાગુ કરવામાં આવ્યો છે. સરકાર અને કોર્પોરેશનને અપીલ છે કે જે 400 હોસ્પિટલનું સી ફોર્મ રિન્યુઅલ નથી થયું તેમાં બીયુનો નિયમ રદ કરવામાં આવે અને ફરી ઉંડાણપૂર્વક વિચારણા કરવામાં આવે. નાના ક્લિનિક અને નર્સીગ હોમ્સ માટે નિયમો માટે વિચારવાની જરૂર છે. તમામ હોસ્પિટલ તેમજ નસિંગ હોમ્સમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી છે. તમામને કાયદા લાગુ પડે તે રીતે કરવું. જો આ નિયમ રહેશે તો આગળ જતાં 900 હોસ્પિટલ બંધ થશે. એટલે કે 50 હોસ્પિટલો અમદાવાદમાં બંધ થઈ જશે.AHNA ના સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં એક સાથે ફોમ ‘સી’ રીન્યુ ન થવાથી આ તમામ નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ્સને તાળા મારવાની નોબત આવી ગઈ છે. વર્ષ 1959થી 2021 સુધી હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સ રજીસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપતા આવ્યા છીએ અને તેમનું સી’ ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવ્યું છે. 2021 ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજીયાત કરી દેવાયું છે.

જેના કારણે આ ગંભીર પરિસ્થિતી ઉભી થઈ છે. હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સનું રજીસ્ટ્રેશન,સ્ટાફની લાયકાત તેમજ ડોક્ટર્સના ક્વોલિફીકેશનની ચકાસણી કર્યા બાદ આપવામાં આવે છે. ક્યારેય બી.યુ. પરમિશનની જરૂરિયાત ઉભી કરવામાં આવી નથી.આ ઉપરાંત બી.યુ. ની જરૂરિયાત ફક્ત અમદાવાદ ખાતે જ ઉભી કરવામાં આવી છે.સી ફોર્મ એટલે બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ત્યારે આ ફોર્મ ભરીને આપવાનું હોય છે. જેમાં હોસ્પિટલ અંગેના અને ડોક્ટરની માહિતી અંગેના સર્ટીફિકેટ સહિતની વિગતો રજુ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સી.ફોર્મમાં નવો નિયમ અચાનક જ લાવી દેવામાં આવ્યો છે. જેમાં પહેલા સી ફોર્મમાં બીયુ પરમીશનના કાગળની જરૂરિયાત હતી નહીં પરંતુ કોર્પોરેશન દ્વારા આ બીયુ પરમિશનનો ફરજિયાત કાગળ રજુ કરવા માટે જણાવ્યું છે. સી ફોર્મના રીન્યુઅલમાં બીયુ પરમીશન કાગળ લાવવામાં હોસ્પિટલોને અત્યારે તકલીફ પડી શકે છે.

Read About Weather here

કારણ કે અનેક એવી હોસ્પિટલો વર્ષો જુની બિલ્ડિંગોમાં છે જ્યાં બિયુ પરમીશન છે જ નહીં. જેથી જો આ નિયમ લાગુ કરવામાં આવે તો અનેક હોસ્પિટલો બંધ થઈ શકે છે. રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જેવા શહેરોમાં આ નિયમ લાગુ કરાયો નથી પરંતુ અમદાવાદ મ્યુનિ. દ્વારા આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. મ્યુનિ. એ જે તે સમયે આપેલી નોટિસમાં 42 હોસ્પિટલ-નર્સિંગ હોમના સી ફોર્મ રદ્દ કરવા નિર્ણય કર્યો હતો.હોસ્પિટલ-નર્સિંગ હોમને મ્યુનિ.ના જન્મ-મરણ વિભાગ દ્વારા ધી બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ-1949ની કલમ પાંચ હેઠળ નોંધણી કર્યા બાદ સી ફોર્મ ઈશ્યૂ કરાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here