વેરાવળ બાંદ્રા દૈનિક એક્સપ્રેસ ટ્રેનને વીરપુર સ્ટોપેજ આપવાની માગણી છેલ્લા ઘણા વર્ષોથી મુસાફરો કરી રહ્યા હતા. જગવિખ્યાત યાત્રાધામ વીરપુર આવતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોની માંગને લઈને વેરાવળ બાંદ્રા ટ્રેન વીરપુર સ્ટેશન પર સ્ટોપ માટે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના નરેશભાઈ ચાંદ્વાણી તેમજ વીરપુરના અનેક અગ્રણીઓએ રેલ્વે વિભાગમાં રજૂઆતો કરી હતી પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે પણ રેલ્વે મંત્રી સહિતનાઓને તેમજ લોકસભામાં રજૂઆત કરી હતી
Visit Saurashtra Kranti Homepage here
રેલ્વે મંત્રાલયના આદેશ મુજબ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ તારીખ 14 ઓક્ટોબરથી વિરપુર સ્ટેશન પર આપવામાં આવ્યું છે. સાંસદ રમેશ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી આગળ પ્રસ્થાન કરાવ્યું. આજે વેરાવળ બાંદ્રા ટર્મિનસ ટ્રેન નં. 19218 વિરપુર સ્ટેશન પર આવીને ઉભી રહી હતી ત્યારે વીરપુરના અગ્રણીઓએ ઢોલ નગારા સાથે ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here