મનપાએ જાહેર કરેલી યાદી મુજબ રાજકોટ શહેરમાં એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના નવા 16 કેસ નોંધાયા છે. 6 તારીખે પૂરા થતા સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના નવા 16 જ્યારે ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. આ સાથે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 198 જ્યારે ચિકનગુનિયાના 21 કેસ થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
છેલ્લા બે સપ્તાહથી મલેરિયાના કેસ શૂન્ય રહ્યાં છે જોકે અત્યાર સુધીમાં 44 નોંધાયા છે જે હજુ ચિકનગુનિયાથી વધારે છે. બીજી તરફ દિવાળી બાદ શરદી-ઉધરસના કેસ વધ્યા છે. માત્ર રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રની ઓપીડીમાં 253 કેસ શરદી-ઉધરસના નોંધાયા છે. આ સિવાય ઝાડા-ઊલટીના 57 અને સામાન્ય તાવના 39 કેસ નોંધાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here