કોરોના મહામારી સામે સ્વદેશી વેક્સીન ખુબ જ કારગત નિવડી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સમગ્ર દેશમાં વેક્સિનેશન 100 કરોડથી પણ વધુ નિ:શુલ્ક ડોઝ અપાઈ ચુક્યા છે.આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત 75 દિવસ માટે 18 વર્ષથી ઉપરના લોકોને નિ:શુલ્ક પ્રિકોશન ડોઝ આપવાનું નિર્ધારિત કરાયાના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લામાં કુલ 7,698 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓ પૈકી લોધીકામાં 370, પડધરીમાં 232, જામકંડોરણામાં 274, કોટડા સાંગાણીમાં 507, વિંછીયા 367, ગોંડલમાં 1196, રાજકોટ તાલુકામાં 852, જસદણમાં 888, જેતપુરમાં 1,385, ધોરાજીમાં 748 તેમજ ઉપલેટા તાલુકામાં 879 લોકોને ડોઝ આપી કોરોના સામે સુરક્ષિતા પુરી પાડવામાં આવી હોવાનું જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નિલેશ શાહની યાદીમાં જણાવાયું છે.
Read About Weather here
ઉપરાંત કચ્છ જીલ્લામાં પ્રથમ દિવસે કુલ રર6 સ્થળોએ રસીકરણ સેશનનું આયોજન કરી વિવિધ મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવેલ. પ્રથમ દિવસના અંતે કુલ 7675 લાભાર્થીઓને રક્ષિત કરવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here