ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આજ થી 18 થી 59 વર્ષના તમામ નાગરિકો માટે કોરોના વેકિસનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાનો મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય કમિટી ચેરમેન રાજેશ્ર્વરીબેન ડોડીયા, કોર્પોરેટર લીલુબેન જાદવ, ડે.કમિશનર આશિષકુમાર,
Visit Saurashtra Kranti Homepage here
એ.આર.સિંહ, આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી, નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ, તેમજ ડોઝ લેનાર લાભાર્થીઓ ઉપસ્થિત રહેલ. 18 થી 59 વર્ષના નાગરિકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હોય તેને છ (6) મહિના પૂર્ણ થયા હોય તે તમામ નાગરિકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. ઉપરાંત 60 વર્ષથી મોટી ઉંમરના નાગરિકો પણ કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ લઇ શકશે. મહાનગરપાલિકા દ્વારા સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી નીચે જણાવેલ સ્થળોએ વેકસીનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.
Read About Weather here
સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, નંદનવન આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 28, વિજય પ્લોટ, સદર આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર હુડકો, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, જંકશન આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ, કોમ્યુનીટી હોલ, ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર, આઈએમએ આરોગ્ય કેન્દ્ર, કબીરવન આરોગ્ય કેન્દ્ર, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર.(1.5)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here