સ્ટાર્ટઅપ સેન્ટર શરૂ થવાથી નાગરિકોના સ્વપ્નોને ઉડાન મળશે: કલેકટર
વિચરતી જાતિ માટે મકાન બનાવાશે
રાજકોટમાં સ્ટાર્ટઅપ સેન્ટર બનાવવામાં રાજ્યસરકારમાં કલેકટર દ્વારા દરખાસ્ત મુકવામાં આવી છે જે સરકારી ખરાબાની જમીન પર બનાવવામાં આવશે તેવી વીચારધારણા થઇ રહી છે અને વિચરતી જાતિ માટે 1 ઇઇંઊં ફ્લેટ બનાવવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ ક્લેકટર અરૂણ મહેશ બાબુએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં જે રીઝનલ સ્ટાર્ટઅપ સેન્ટર આવેલુ જે સમગ્ર ગુજરાતમાં એક જ તેવું તેવી સ્ટાર્ટઅપ સેન્ટર બનાવવાની દરખાસ્ત રાજ્યસરકારમાં મુકવામાં આવી છે.
અમદાવાદમાં આવેલું રીઝનલ સ્ટાર્ટઅપ સેન્ટર જે સમગ્ર ગુજરાતમાં એક જ છે તેવું સેન્ટર શહેરમાં બનાવવાની વિચારણા થઇ રહી છે. આ સેન્ટર અંતર્ગત જો કોઈને સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય તો રાજ્યસરકાર તેમને શરૂઆત કરવા માટે સહાય આપે છે. જેનાથી સ્ટાર્ટઅપ કરનારાઓને પ્રોત્સાહન મળે છે અને જો કોઈને કોઈ સ્ટાર્ટઅપનો વિચાર હોય તો તેમને પણ પ્રોત્સાહન મળી શકે છે.
રાજકોટમાં આ સ્ટાર્ટઅપ સેન્ટર નાનામવા રોડ પાસે આવેલ સર્વે નં.250, સૈયાજી હોટલ પાસે આવેલ સરકારી ખરાબાની જમીન પર શરૂ કરવાની વિચારણા થઇ રહી છે.
કલેકટરે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, વિચરતી જતી જાતિઓ માટે સરકાર મકાન બનાવશે જેમાં 1 ઇઇંઊં વાળા 124 મકાન ગોંડલ તાલુકાના ગુંદાળા ગામ પાસે બનાવાશે. ઉપરાંત 1 ગર્લ્સ હોસ્ટેલ અને 1 બોયસ હોસ્ટેલ પણ બનાવાશે.
Read About Weather here
નાગરિકોને પોતાના બલ્ડ ગ્રુપની ખબર પડે અને તેની સાથોસાથ તે બ્લડ ડોનેશન અને થેલેસેમિયા જેવા રોગો સામે જાગૃત થઇ શકે તે માટે કલેકટર વહીવટી તંત્ર દ્વારા તમારા બ્લડ ગ્રુપને જાણો કેમ્પેઈન જણજાગૃતિ અંતર્ગત યોજાશે. તેમ કલેકટરે જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here