નેતાના નજીકના બે અગ્રણીઓને ગેરકાયદેસર બાંધકામનો રેલો આવ્યો

નેતાના નજીકના બે અગ્રણીઓને ગેરકાયદેસર બાંધકામનો રેલો આવ્યો
નેતાના નજીકના બે અગ્રણીઓને ગેરકાયદેસર બાંધકામનો રેલો આવ્યો
રાજકોટમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે બાંધકામો અને બાંધકામને લગતી ગેરરીતિઓની છાશવારે લોક ફરિયાદો શહેરનાં અલગ- અલગ ખૂણે આપણા કાને સંભળાતી રહે છે. એવી પણ ગંભીર ફરિયાદો સંભળાતી હોય કે આખેઆખા ગેરકાયદે બિલ્ડીંગ બની ગયા છતાં જવાબદાર તંત્ર દ્વારા માત્ર નોટીસ આપીને સંતોષનો ઓડકાર ખાઈ લેવામાં આવે છે અને આગળ કોઈ પગલા લેવાતા ન હોવાથી ગેરકાયદે બાંધકામોનું દુષણ વધુને વધુ વકરી રહ્યું છે. લાગતા વળગતા વિભાગનાં અમૂક અધિકારીઓ અને બિલ્ડરો વચ્ચેની નાક નીચે આવા બાંધકામ પ્રસરી રહ્યા હોવાનું છે. તંત્રનું રહસ્યમય મૌન અને આડું જોઈ જવાની વૃતિ પણ આ દુષણ માટે કારણભૂત હોવાનું કહેવાય છે.અમુક ગેરકાયદેસર બાંધકામોની વિગત લોકો દ્વારા જાણવા મળતી હોય છે. છતાં કોઈજાતની કાર્યવાહી થતી નથી. પરિણામે દબાણો ખડકાઈ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

જેને હટાવવા મુશ્કેલ બને છે. ત્રણેય ઝોનમાં ટીપી વિભાગની ખાસ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે પણ જે નિષ્ક્રીય હોય તેવુ સાબીત થઇ રહ્યું છે. ટાઉન પ્લાનિંગ વિભાગના અમુક અધિકારીઓની મિલિભગત અથવા માથાભારે લોકોના ડરના કારણે કોઈ કાર્યવાહી થતી નથી તેવી પણ લોકોમાં ચર્ચા થઇ રહી છેેે. તેજ રીતે સામાકાંઠે રણછોડનગર સદગુરૂ-2માં ચાલતા ગેરકાયદેસર બાંધકામ પાછળ મોટા વગ ધરાવતા રાજકીય નેતા માઇન્ડ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ટીપી અધિકારીઓ દ્વારા નોટીસો પાઠવાઇ છતાં બે રોકટોક બાંધકામ હજુ ચાલુ જ છે.

કમિશનરનો વિજલેન્સ તપાસનો આદેશ હોવા છતાં પણ હજુ બાંધકામ ધમધમે છે, મોટા રાજકીયવગ ધરાવતાની ભલામણની આશંકા સેવાઇ રહી છે. આ અંગે બાંધકામ અંગે ટીપી અધિકારીઓએ વહીવટ કર્યોની સ્થાનિકોમાં ચર્ચા રહી છે.આટલી મોટી ક્યા રાજકીય લોકોની વગ હશે કે તે હજુ સુધી નોટીસ પાઠવાયા બાદ પણ કામગીરી ચાલુ છે તે એક તપાસનો વિષય ગણી શકાય આગામી દિવસોમાં મ્યુ.કમિશનર દ્વારા આ બાંધકામ અંગે રીપોર્ટ મેળવીને શું ડિમોલીશન કરવામાં આવશે તે વાત પર સૌની નજર છે. કમિશનર આ ભ્રષ્ટાચાર બંધ તો શહેરમાં ઘણાં કાયદેસરના બાંધકામો થઈ શકે તેમ છે.મ્યુનિ. ગેરકાયદે બાંધકામો જ્યાં થયાં હોય ત્યાં તવાઈ બોલાવે મ્યુનિ. વહીવટી તંત્રે જે વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો થયાં હોય તેવા વિસ્તારના કર્મચારીઓ, અધિકારીઓને પ્રથમ ઘર ભેગા કરી દેવા જોઈએ.

Read About Weather here

એવી લાગણી ઊભી થવા પામી છે. જ્યાં સુધી મ્યુનિ. તંત્ર પોતાનું ઘર નહિ કરે ત્યાં સુધી ગેરકાયદે બાંધકામોનું તુત ચાલુ જ રહેશે. ત્યારબાદ મ્યુનિએ આવા બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવું જોઇએ એવો મત શહેરના નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. કોઇ મોટા રાજકીય વગ ધરાવતા વર્ગનો ટેકો હશે અને બાંધકામ ચાલુ રાખવા પાછળ બાંધકામ કરનારે ટીપીના નીચેથી માંડીને ઉપર લેવલના અધિકારી સાથે કર્યો હોવાની ચર્ચાઓ પણ સ્થાનિકોમાં થઇ રહી છે. સાંચુ શું એ તો અધિકારીઓ અને મકાન માલિક જ ને ખબર હોય શકે પરંતુ જો વહીવટ ન કરેલો હોય તો અત્યાર સુધી નોટીસ આપ્યા બાદ બાંધકામ ધમધમતુ ન હોય તેવી ચર્ચાએ જોર પક્ડયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here