ખેડૂતોને લાઇનોમાંથી મુક્તિ આપવા યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષથી બિયારણ ખરીદતા ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાની સિસ્ટમ અમલી બનાવેલ છે.
બાદમાં તેનો ઓનલાઈન ડ્રો કરી પસંદૃ થયેલ ખેડુતોને તેમના મોબાઈલ પર જ મેસેજથી જાણ કરવામાં આવતી હતી. જેથી ખેડૂતોને યુનિવર્સિટીએ ધક્કો થતો બંધ થયો હતો.તેમજ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવામાંથી પણ છુટકારો મળ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
યુનિવર્સિટીનો મેસેજ મળતા ખેડૂતો આવી નાણા ભરી પોતાનું બિયારણ મેળવી લે છે. તેવી જ રીતે આ વર્ષે પણ મગફળીની વિવિધ જાત અને સોયાબીનનું બિયારણ ખરીદવા કૃષિ યુનિવર્સિટીએ ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરેલ જેમાં 18,668 અરજીઓ મળી છે. અરજી કરનારા ખેડૂતોને હાલ બિયારણનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સર્ટીફાઇડ બિયારણ ખરીદૃી કરવી હોય તેઓ માટે ઓનલાઇન જાહેરાત કરવામાં આવી હતી.
Read About Weather here
જેના બિયારણ ખરીદૃવા માટે 18,668 ખેડૂતોની અરજીઓ યુનિ.ને મળી છે. જે ખેડૂતોએ અરજી કરેલ તેમને મગફળી અને સોયાબીનનું બિયારણ વિતરણ કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. અગાઉ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી વિવિધ સર્ટિફાઇડ બિયારણ ખરીદવા માટે રાજ્યભરમાંથી ખેડૂતોનો ધસારો રહેતો હતો. બિયારણ વેચાણની જાહેરાત થતા જ ખેડૂતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઉમટી પડતા અને બિયારણ ખરીદવા લાઈન લગાવતા જોવા મળતા હતા. ક્યારેક તો ખેડૂતો રાત્રીના સમયે યુનિવર્સિટી ખાતે આવી જતા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here