મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યનાં નગરોમાં વસવાટ કરતા નાગરિકો માટે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વેરા વળતર યોજના જૂન અને જુલાઈ એમ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા કરવેરામાં રાહત આપતી યોજનાનો લાભ લેવાની નાગરિકોને વધુ તક મળી છે.
Visit Saurashtra Kranti Homepage here
નગરપાલિકાઓ દ્વારા લેવાતા મિલ્કતવેરા, પાણીવેરો, ખાસ પાણીવેરો, લાઈટવેરો, ગટરવેરો વગેરે ચુકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવાયો છે.મુખ્યમંત્રીએ લીધેલા નિર્ણય મુજબ 2022-23 ના નાણાંકીય વર્ષનાં વેરાની રકમ જો નાગરિકો તા.30 જૂન-2022 સુધીમાં એડવાન્સ ભરપાઈ કરે તો 7 ટકા વળતર અપાશે.
Read About Weather here
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડીઝીટલ ઇન્ડિયાનાં સંકલ્પને વેગ આપવા મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય લીધો છે કે, એડવાન્સ વેરાની રકમ મોબાઈલ એપ કે ઈ-નગરનાં ઓનલાઈન પોર્ટલ મારફત 30 જૂન-2022 સુધીમાં ભરપાઈ કરનારાને વધારાનું પાંચ ટકા વળતર અપાશે. એટલે ડીઝીટલ વ્યવહાર કરનારા નાગરિકોને કુલ 12 ટકા વળતર મળશે. નાણાંકીય વર્ષ 2022-23 ની વેરાની રકમ 1 થી 31 જુલાઈ 2022 સુધીમાં એડવાન્સ ભરપાઈ કરનારા નાગરિકોને પાંચ ટકા વળતર મળવા પાત્ર થશે. ઈ-નગર મોબાઈલ એપ કે ઓનલાઈન સિટીઝન પોર્ટલ મારફતે વેરો ભરનારાને વધુ પાંચ ટકા વળતર અપાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here