રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાનાં ટીપી વિભાગની ખાસ ટીમ દ્વારા ગેરકાયદે દબાણો હટાવવા માટે જયારે જયારે કાર્યવાહી શરૂ થાય ત્યારે તેની મસમોટી તસ્વીરો અખબારોમાં છપાવવામાં આવતી હોય છે અને આમ આદમીને એટલે કે શહેરીજનને એવું લાગે છે કે બહુમોટી કામગીરી કરવામાં આવી છે પરંતુ તસ્વીરો પાછળની જે સચ્ચાઈ છે તેનો આમ જનતાને કદી ખ્યાલ આવતો નથી. શું તોડવામાં આવ્યું, શું હટાવવામાં આવ્યું તેની સાચી હકીકત જો બહાર આવે તો લોકો મોઢામાં આંગળા નાખી જાય. જે કોઈ કાર્યવાહી થાય છે એ મોટાભાગે ગરીબોનાં ઝુંપડા તોડવાની કાર્યવાહી જ હોય છે. વગદાર યા તો વહીવટ કરવામાં કાબેલ અથવા તો મનપામાં ચોકકસ જગ્યાએ સંપર્કનાં પ્લગ ભરાવીને ધાર્યું કરાવી શકતા લોકોનાં બાંધકામો ગમે તેટલા ગેરકાયદે હોય ત્યાં સુધી ટીપી શાખાનાં કહેવાતા લાંબા હાથ પહોંચતા નથી અને ભૂલેચુકે પહોંચી પણ જાય તો તે લાંબા હાથને પાછા વાળી લેવામાં આવતા હોવાનું આપણે ઘણીવાર જોયું છે અને અનુભવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે, મોટી વગ ધરાવતા રાજકીય નેતા જ્યાં- જ્યાં મુખ્ય સુત્રધાર હોય ત્યાંના ગેરકાયદે બાંધકામ તોડવાના ટીપી શાખા આગળ વધતી નથી અને માત્ર કાગળ પર રેકર્ડ રાખવા નોટીસો ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે. એવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે. ઘણીવખત લોકો એવું માનવા લાગ્યા છે કે, શક્તિશાળી ટીપી શાખા ત્રણેય ઝોનમાં ગરીબ અને નબળા વર્ગનાં ઝુંપડા તોડવામાં પોતાનું શૌર્ય ઝળકાવે છે પરંતુ મોટા માથાઓનાં કે રાજકીય વગ ધરાવનારાઓનાં ગેરકાયદે બાંધકામો તોડવામાં કોઈ આગળની કાર્યવાહી કરાતી નથી. આવા બાંધકામ કરનારાઓ સુધી નોટીસો પહોંચે છે પણ બુલડોઝર પહોંચતા નથી. આ એક વિધિની વક્રતા છે યા તો ટીપી શાખાનું હાથે લખાયેલું બંધારણ છે. એ લોકોએ સમજવાનું છે. સામાકાંઠે રણછોડનગર સદ્દગુરુ-2 માં મોટાપાયે ગેરકાયદે બાંધકામો થયા છે અને થઇ રહ્યા છે છતાં નોટીસ સિવાય કોઈ કાર્યવાહી થઇ નથી. નોટીસ અને વિજીલન્સ તપાસનાં આદેશ છતાંય આર્શ્ર્યજનક રીતે અવિરત ગેરકાયદે બાંધકામો ખડા કરવામાં આવી રહ્યા છે.
કોઈ મોટી રાજકીય વગને કારણે જ આવું શક્ય બને એવી લોકોમાં જોરશોરથી ચર્ચા છે.આ અંગે બાંધકામ અંગે ટીપી અધિકારીઓએ વહીવટ કર્યોની સ્થાનિકોમાં ચર્ચા થઇ રહી છે. આટલી મોટી ક્યાં રાજકીય લોકોની વગ હશે કે તે હજુ સુધી નોટીસ પાઠવાયા બાદ પણ કામગીરી ચાલુ છે તે એક તપાસનો વિષય ગણી શકાય આગામી દિવસોમાં મ્યુ.કમિશનર દ્વારા આ બાંધકામ અંગે રીપોર્ટ મેળવીને શું ડિમોલીશન કરવામાં આવશે તે વાત પર સૌની નજર છે.રાજકોટમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે બાંધકામો અને બાંધકામને લગતી ગેરરીતિઓની છાશવારે લોક ફરિયાદો શહેરનાં અલગ- અલગ ખૂણે આપણા કાને સંભળાતી રહે છે. એવી પણ ગંભીર ફરિયાદો સંભળાતી હોય છે કે આખેઆખા ગેરકાયદે બિલ્ડીંગ બની ગયા છતાં જવાબદાર તંત્ર દ્વારા માત્ર નોટીસ આપીને સંતોષનો ઓડકાર ખાઈ લેવામાં આવે છે અને આગળ કોઈ પગલા લેવાતા ન હોવાથી ગેરકાયદે બાંધકામોનું દુષણ વધુને વધુ વકરી રહ્યું છે.
Read About Weather here
લાગતા વળગતા વિભાગના અમુક અધિકારીઓ અને બિલ્ડરો વચ્ચેની નાક નીચે આવા બાંધકામ પ્રસરી રહ્યા હોવાનું કહેવાય છે. તંત્રનું રહસ્યમય મૌન અને આડું જોઈ જવાની વૃતિ પણ આ દુષણ માટે કારણભૂત હોવાનું કહેવાય છે.સામાકાંઠે રણછોડનગર સદ્ગુરૂ-2માં ચાલતા ગેરકાયદેસર બાંધકામ પાછળ મોટા વગ ધરાવતા રાજકીય નેતા અને ટીપી અધિકારીની સાઠગાઠ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે મનપા કમિશનર અને ટીપીના અધિકારીઓ ઘણા દિવસો થઇ ગયા હોવા છતાં કોઇ એક્શન ન લેતા મામલો કોર્ટ સુધી પહોંચી શકે તેમ છે અને જાગૃત નાગીરક દ્વારા ગેરકાયદે બાંધકામ મુદ્ે પીટીશન દાખલ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં જો આ બાંધકામ સામે પીટીશન દાખલ કરાશે તો બાંધકામ કરનાર બિલ્ડર, ટીપીના સામેલ અધિકારીઓ, અને નેતા તથા નજીકના હોદેદારો સહિતના નામ ખુલશે અને તપેલા ચડી જાય તો પણ નવાઇ નહીં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here