Subscribe Saurashtra Kranti here.
બંગાળમાં ગુંડાઓ દ્વારા બોમ્બમારો અને ગોળીઓનો વરસાદ ચાલુ
બંગાળમાં ચૂંટણી પ્રચારની સાથે જ સતત હિંસાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ઉત્તરી ૨૪ પરગણાના જગદલ ખાતે ક્રુડ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૩ લોકો ઘાયલ થયા છે. હુમલો થયો તે સ્થળ ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરથી સાવ નજીક આવેલું છે જેથી ભાજપ ચૂંટણી પંચ સમક્ષ આ હુમલાની ફરિયાદ કરશે.
બૈરકપુરથી ભાજપના સાંસદ અર્જુન સિંહે જણાવ્યું કે, ૩ લોકોએ તેમના સાથીદારો સાથે મળીને આશરે ૧૫ સ્થળોએ બોમ્બ ફેંક્યા હતા અને પોલીસ દ્વારા લગાવવામાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. પોલીસ અધિકારી એસીપી એપી ચૌધરીએ આ હુમલામાં એક બાળક સહિત ૩ લોકો ઘાયલ થયા હોવાની માહિતી આપી હતી.
Read About Weather here
ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે આ હુમલાના અનુસંધાને ટીએમસી હિંસાના રાજકારણનો પર્યાય’ છે તે અર્થનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આચારસંહિતા લાગુ થયા બાદ પણ ગુંડાઓ દ્વારા બોમ્બમારો અને ગોળીઓનો વરસાદ ચાલુ છે. ચૂંટણી પંચે આ ઘટનાને ચેતવણી તરીકે લેવી જોઈએ નહીં તો મતદાન શાંતિપૂર્ણ રીતે થશે કે નહીં તે પણ શંકા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here