સરકાર વિપક્ષની ગંદી રાજનીતિથી બચે: સંજય
Subscribe Saurashtra Kranti here
મુંબઇ પૂર્વ પોલીસ કમિશ્ર્નર પરમબીર સિંહના ગંભીર આરોપો પર શિવસેનાએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની મનાઇ કરી દીધી છે. .
શિવસેના નેતા સંજય રાઉતે કહૃાું કે સરકારને વિપક્ષની ગંદી રાજનિતીનો શિકાર બનવું ન જોઇએ
શિવસેના નેતા સંજય રાઉતએ કહૃાું કે ’મહારાષ્ટ્રના રાજભવનમાં ભાજપના નેતાઓની બે દિવસથી અવર જવર અને ખાણી પીણી ચાલી રહી છે, તેને ચાલવા દો. મહારાષ્ટ્રમાં ન્યાય પ્રક્રિયા ખૂબ જ પારદર્શક છે. ત્યાં તપાસ મુખ્યમંત્રીની નજર હેઠળ થાય છે. એંટીલિયા-સચિન વાઝે કેસમાં વિપક્ષ ગંદૃુ રાજકારણ કરી રહૃાો છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહૃાું કે તેમના આરોપોની તપાસ થશે અને દૃૂધનું દૃૂધ અને પાણીનું પાણી થઇ જશે. દૃૂધમાં કોણે પાણી મિક્સ કર્યું. તે સ્પષ્ટ થઇ જશે.
રાઉતે કહૃાું કે સરકારે વિપક્ષની ગંદી રાજનીતિનો શિકાર ન બનવું જોઇએ. જો આમ થયું તો પરંપરા બની જશે. તેમણે કહૃાું કે દિલ્હીમાં જે વાતચીત ચાલે છે. તેમાં એ છે કે યૂપીએનું પુનર્ગઠન જરૂરી છે. યૂપીએની લીડરશિપ એવા નેતાના હાથમાં હોવી જોઇએ. જે દેશના બિન ભાજપી દળોનું સંગઠન બનાવે. તેમણે કહૃાું કે દિલ્હીમાં ભાજપની સરકાર નથી તો તે એલજીના દ્રારા પોતાનો અધિકાર બનાવવામાં લાગી છે. જો દિલ્હીમાં એલજી જ સરકાર ચલાવશે તો અહીં ચૂંટાયેલા સીએમનો શું મતલબ છે. ક્યારેક ભાજપ દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરતી હતી અને આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓના હક ખતમ કરવા પર લાગી છે. શું જ લોકતંત્ર છે?
Read About Weather here
આરોપીની તપાસ કરાવો: દેશમુખેનો મુખ્યમંત્રીને પત્ર
બીજી તરફ ભ્રષ્ટાચારના આરોપોનો સમાનો કરી રહેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખએ બુધવારે સીએમ ઉદ્ધવ ઠાકરેને મરાઠીમાં પત્ર લખ્યો. દેશમુખએ બુધવારે મોડી રાત્રે આ પત્રને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. આ પત્રમાં દેશમુખે મુખ્યમંત્રી ઠાકરે પાસે આગ્રહ કર્યો કે તેમના વિરૂદ્ધ પૂર્વ પોલીસ કમિશ્ર્નર પરમબીર સિંહ દ્રારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરાવે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here