મણિપુરમાં સ્કૂલ બસ પલટી:15 વિદ્યાર્થીઓના મોત

મણિપુરમાં સ્કૂલ બસ પલટી:15 વિદ્યાર્થીઓના મોત
મણિપુરમાં સ્કૂલ બસ પલટી:15 વિદ્યાર્થીઓના મોત
મણિપુરના નોની જિલ્લામાં બુધવારે પ્રવાસ પર જઈ રહેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બસ થમ્બલાનુ હાયર સેકન્ડરી સ્કૂલ, યારીપોક જઈ રહી હતી. તે ખાપુમ તરફ ટૂર પર જઈ રહી હતી. મીડિયા અહેવાલો પ્રમાણે, 22 વિદ્યાર્થીઓને ઇમ્ફાલની મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે SDRF અને મેડિકલ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

Read About Weather here

મીડિયા રિપોર્ટ્સ પ્રામાણે બસમાં 36 વિદ્યાર્થી સહિત ઘણા ટીચર્સ પણ હતા. સ્ટડી ટૂર પર જતી વખતે બસ ઓલ્ડ કછાર રોડ પર પલટી ગઈ હતી.ય મૃતકોમાં 5 વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થાય છે. જાણકારી પ્રમાણે આ ઘટના સવારે 11:30 વાગે બની હતી. આ અકસ્માતની સૂટના મળતાં જ પોલીસે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જોકે અમુક રિપોર્ટ્સમાં બે બસનો અકસ્માત થઈ હોવાના કારણે આ ઘટના બની હોવાનું જણાવવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here