કોલંબિયામાં ભૂસ્ખલનની દુર્ઘટનામાં 34 લોકોના મોત!

કોલંબિયામાં ભૂસ્ખલનની દુર્ઘટનામાં 34 લોકોના મોત!
કોલંબિયામાં ભૂસ્ખલનની દુર્ઘટનામાં 34 લોકોના મોત!
દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં રિસારાલ્ડા પ્રાંતમાં એક બસ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં 34 લોકોના મોત થયા હતા. નેશનલ યુનિટ ફોર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ (UNGRD)ના જણાવ્યા અનુસાર મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

એક અધિકારીએ જણાવ્યું કે ભારે વરસાદ બાદ રિસારાલ્ડા પ્રાંતમાં ભૂસ્ખલન થયું હતુ. બસની સાથે અન્ય કેટલાક વાહનો પણ કાટમાળમાં દટાઈ ગયા હતા. બસ કૈલી શહેરથી ચોકો પ્રાંતના કોન્ડોટો શહેર જઈ રહી હતી. ત્યારબાદ પ્યુબ્લો રિકો અને સાન્ટા સેસિલિયા વચ્ચે આ દુર્ઘટના થઈ હતી.

Read About Weather here

દુર્ઘટના દરમિયાન સ્થળ પર હાજર એક વ્યક્તિએ નજરે જોયુ તે જણાવ્યું હતું. તેણે કહ્યું- પહેલા એક કાર અકસ્માતનો ભોગ બની હતી. જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. પાછળ આવતા વાહનો થંભી ગયા. અકસ્માત બાદ અહીં એક જીપ, બસ અને મોટર સાયકલ ઉભી હતી તે દરમિયાન એકાએક ભૂસ્ખલન થયું. કાટમાળ એટલી ઝડપથી નીચે આવ્યો કે કોઈ બચી શક્યું નહીં. બસમાં 2 ડ્રાઈવર હતા. જેમાં ઘણા મુસાફરો પણ સવાર હતા.કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું- સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here