કેન્દ્રએ 78 મંત્રાલય-વિભાગોમાં મંજૂર 40 લાખ પૈકી 9.8 લાખ હોદ્દા ખાલી છે. જે પૈકી રેલવે, ગૃહ, સંરક્ષણ અને ટપાલ એમ ચાર મંત્રાલય-વિભાગમાં જ 35 લાખથી વધુ હોદ્દા મંજૂર છે. તેમાંથી 22.5 ટકા અથવા તો આઠ લાખ હોદ્દા ખાલી છે.
Visit Saurashtra Kranti Homepage here
સૌથી વધુ 2.94 લાખ હોદ્દા રેલવેમાં ખાલી છે. સંરક્ષણ મંત્રાલય (સિવિલ-બિન સૈનિક)માં 2.65 લાખ, ગૃહ મંત્રાલયમાં 1.44 લાખ અને ટપાલ વિભાગમાં 90 હજારથી વધારે હોદ્દા હજુ સુધી ભરાયા નથી. સૌથી ખરાબ સ્થિતિ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની છે.
Read About Weather here
આ વિભાગમાં કુલ 12442 હોદ્દા મંજૂર છે, જે પૈકી 8543 (69 ટકા) ખાલી છે. વડાપ્રધાન કાર્યાલયમાં પણ 129 હોદ્દા ખાલી છે. એવી જ રીતે રાષ્ટ્રપતિભવનમાં 91 અને કેબિનેટ સચિવાલયમાં 54 જગ્યા ખાલી છે.કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે સંસદમાં આપેલી માહિતી પ્રમાણે, આ આંકડા 31 માર્ચ 2022 સુધીના છે. 1.47 લાખ હોદ્દાની ભરતી પ્રક્રિયા યોજાઇ ચૂકી છે, પરંતુ તેના વિભાગવાર આંકડા હજુ તૈયાર કરાયા નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here