વેક્સિન સાથે સંકળાયેલી અફવાઓ પર ધ્યાન ન આપશો: મોદીની મન કી બાત

PM MODI - MAN KI BAAT-વેક્સિન
PM MODI - MAN KI BAAT-વેક્સિન

વેક્સિનના મહત્વથી સૌ કોઈ વાકેફ છે, વેક્સિન સાથે સંકળાયેલી અફવાઓ પર ધ્યાન ન આપશો

યોગ્ય હોય તે બધા જ વેક્સિનેશન સેન્ટર પર જઈને વેક્સિન લગાવડાવે,

કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે પીએમ મોદીએ આજે ‘મન કી બાત કરી. મોદીએ કહૃાું કે કોરોનાની બીજી લહેરે દેશને હચમચાવીને મૂકી દીધો છે. તેમણે કહૃાું કે કોરોના વાયરસ દેશના લોકોનૈ ધીરજ અને દૃુ:ખ સહન કરવાની મર્યાદાની પરીક્ષા લઇ રહૃાું છે. કેટલાંય લોકોને અસમયે સ્વજનોને ગુમાવ્યા છે. આ સમય હિંમતથી લડાઇ લડવાનો છે.

Subscribe Saurashtra Kranti here

પીએમ મોદીએ કહૃાું કે રાજ્યની સરકારો પણ ફરજ નિભાવામાં લાગી ગઇ છે. પૂરી તાકાતની સાથે કોરોનાની સામે લડાઇ લડી રહૃાા છે. પીએમ મોદીએ કહૃાું કે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો.

વડાપ્રધાને કહૃાું કે, કોરોના વાયરસ દેશના લોકોના ધૈર્ય અને દૃુખ સહન કરવાની પરીક્ષા લઈ રહૃાો છે. અનેક લોકોએ કસમયે પોતાના નજીકના લોકોનો સાથ ગુમાવ્યો છે. આ સમય હિંમતથી લડાઈ લડવાનો છે. રાજ્યની સરકારો પણ પોતાની જવાબદારી સંભાળવામાં લાગી છે અને પૂરી તાકાત સાથે કોરોના સામે લડવામાં આવી રહૃાું છે. આ સમયે તમારૂં પણ ધ્યાન રાખો અને તમારા પરિવારનું પણ ધ્યાન રાખો.

આ દરમિયાન વડાપ્રધાને મુંબઈના ડોક્ટર શશાંક સાથે પણ વાત કરી હતી. ડો. શશાંકના કહેવા પ્રમાણે લોકો કોરોનાની સારવાર મોડી શરૂ કરે છે. ફોન પર આવે તે બધી વાતો પર વિશ્ર્વાસ મુકી દે છે. ભારતમાં સારવારના બેસ્ટ પ્રોટોકોલ ઉપલબ્ધ છે અને લોકો સાજા થઈ રહૃાા છે. કોરોનાના મ્યુટેન્ટથી ડરવાની જરૂર નથી. આ કોરોના જેટલી ઝડપથી ફેલાઈ રહૃાો છે તેટલી જ ઝડપથી લોકો સાજા પણ થઈ રહૃાા છે. વડાપ્રધાને શ્રીનગરના ડોક્ટર નાવિદ સાથે પણ વાત કરી હતી. ડોક્ટર નાવિદે કોરોના અંગે અનેક મહત્વની જાણકારીઓ શેર કરી હતી.

Read About Weather here

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને લોકોને ફક્ત નિષ્ણાંતોની વાત પર વિશ્ર્વાસ મુકવા વિનંતી કરી હતી. તેમણે લોકોને ડોક્ટર્સની વાત માનીને જરૂરી ઉપાય અપનાવવા કહૃાું હતું. વધુમાં કહૃાું હતું કે, વેક્સિનના મહત્વથી સૌ કોઈ વાકેફ છે, વેક્સિન સાથે સંકળાયેલી અફવાઓ પર ધ્યાન ન આપશો. યોગ્ય હોય તે બધા જ વેક્સિનેશન સેન્ટર પર જઈને વેક્સિન લગાવડાવે.

મન કી બાતના ૭૫મા સંસ્કરણ માટે લોકોએ ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી જેને લઈ વડાપ્રધાને શ્રોતાઓનો આભાર માન્યો હતો. આ એપિસોડમાં તેમણે તાળી-થાળી અંગે પણ ચર્ચા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here