આટકોટ ખાતે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે. જેથી સમગ્ર સૌરાષ્ટ્ર અને પાંચાળ પ્રદેશમાં થનગનાટ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે વડાપ્રધાનના આગમનથી પાંચાળ વાસીઓ પક્ષાપક્ષીથી પર રહી સર્વજ્ઞાતિ ઓનો માનવ મહેરામણ ઉમટી પડશે. સામાજિક સમરસતાના દર્શન થશે અને આરોગ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગે સાક્ષી બનશે.
Visit Saurashtra Kranti Homepage here
પાંચાળ પ્રદેશની સૂકી ધરતી જસદણ, વિંછીયા, ચોટીલા, સાયલા, થાન, વાંકાનેરના આંતરિયાળ અને છેવાડાના ડુંગરાળ વિસ્તારમાં સૌની યોજનાનું પાણી મળી રહે તેમજ પાંચાળ ભૂમિ બોટાદ, વિંછીયા, જસદણમાં આઝાદી કાળ પહેલા રેલવેની સુવિધા હતી તે ફરી પુન: ચાલુ થાય તેવું સ્વપ્ન આ વિસ્તારના લોકો જોઈ રહ્યા છે. પાંચાળ પ્રદેશ ઊંધી રકાબી સમાન છે જ્યાં ચોમાસાનું પાણી દરિયામાં વહી જાય છે.
Read About Weather here
આ વિસ્તારમાં પાણીના કોઈ મોટા ડેમો નથી.વિકાસથી વંચિત પાંચાળ પ્રદેશને હરિયાળો બનાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મારફતે પેકેજ જાહેર કરાઈ તેવી વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યપ્રધાન પાસે પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ અને પાંચાળ સર્વજ્ઞાતિ સમરસ મંથન સમિતિ પ્રમુખ વિનોદભાઇ વાલાણીએ માગણી કરી આરોગ્ય મંદિરના લોકાર્પણ માં મોટી સંખ્યામાં હાજર રહેવા હાંકલ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here