દિલ્હીમાં તમામ થિયેટર, ઓડિટોરિયમ, સ્પા, જિમ, સ્વિમિંગ પૂલ બંધ રહેશે. ગઈ વખતે થિયેટરને 50% ક્ષમતા સાથે ખોલવામાં આવ્યાં હતાં
- કોરોનાવાયરસના વધતા જતા જોખમ દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, દિલ્હીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 તારીખે સવારે 6 વાગ્યા સુધીમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લેઉપરાજયપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમા સોમવારે (આજે) રાત્રે 10 વાગ્યાથી 26 એપ્રિલની સવાર સુધી લોકડાઉન લાગુ રહેશે. આ દરમિયાન જરૂર વિના બહાર નીકળવાનું પ્રતિબંધિત રહેશે અને વીક એન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધો હશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં દરરોજ લગભગ 25 હજાર કેસ નોંધાઈ રહ્યા છે, દિલ્હીમાં બેડની ભારે અછત છે. દિલ્હીમાં હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ નથી, ઓક્સિજન નથી. દિલ્હીની આરોગ્ય વ્યવસ્થા વધુ દર્દીઓ સંભાળી શકે એમ નથી, તેથી લોકડાઉન કરવું ખૂબ જ જરૂરી છે.
Subscribe Saurashtra Kranti here
એક અઠવાડિયાના લોકડાઉન દરમિયાન દિલ્હીમાં કડક પ્રતિબંધો અમલમાં રહેશે. દિલ્હીમાં જરૂર વગર કોઈને પણ ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. ફક્ત મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જ બહાર જઇ શકશે. દિલ્હીની તમામ ખાનગી ઓફિસોએ વર્ક ફ્રોમ હોમ દ્વારા જ કામ કરવું પડશે, ફક્ત અડધા કર્મચારીઓ જ સરકારી કચેરીમાં આવી શકશે.
જેઓ હોસ્પિટલ જઇ રહ્યા છે, મેડિકલ સ્ટોર્સમાં જાય છે, જેઓ વેક્સિન લેવા માટે જાય છે તેમને લોકડાઉનમાં મુક્તિ મળશે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન જનારાઓને પણ છૂટ રહેશે.
મેટ્રો, બસ સર્વિસ ચાલુ રહેશે, પરંતુ 50 ટકા મુસાફરોને બેસવાની મંજૂરી રહેશે. દીલ્હીમાં બેન્ક અને એટીએમ ખુલ્લાં રહેશે, સાથે પેટ્રોલ પંપ પણ ચાલુ રહેશે. ધાર્મિક સ્થળો પણ ખુલ્લાં રહેશે, પણ કોઈ મુલાકાતીને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં.
દેલ્હીમાં તમામ થિયેટર, ઓડિટોરિયમ, સ્પા, જિમ, સ્વિમિંગ પૂલ બંધ રહેશે. ગઈ વખતે થિયેટરને 50% ક્ષમતા સાથે ખોલવામાં આવ્યાં હતાં. જે પહેલેથી જ લગ્ન કાર્યક્રમ નક્કી છે એને છૂટ મળશે, પણ માત્ર 50થી ઓછા લોકોને જ બોલાવી શકાશે. અને આ માટે પણ ઇ-પાસ લેવો પડશે.
મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આઈડી કાર્ડ બતાવ્યા બાદ જ બહાર જવા દેવામાં આવશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી જાહેર પરિવહન સેવા ચાલુ રહેશે. તમા પ્રકારના જાહેર, રાજકીય કે ધાર્મિક કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ રહેશે. કોઈ સ્ટેડિયમમાં મેચ કે આયોજન દર્શકો વિના જ કરી શકાશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે કોરોના સામેની આ લડતમાં જનતાની મદદ જરૂરી છે, અમે દરેક બાબત લોકો સમક્ષ મૂકી છે. દિલ્હીમાં આજે સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, દરરોજ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. દિલ્હી સરકારે કોઈનો પણ મોતનો આંકડો કોઈથી છુપાવ્યો નથી. દિલ્હીમાં કેટલાં બેડ્સ, આઈસીયુ બેડ્સ અને હોસ્પિટલોની હાલત શું છે, અમે જનતાને જણાવી દીધું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે લોકડાઉનથી કોરોના જતો નથી, ફક્ત એની સ્પીડ પર બ્રેક લાગે છે. આ લોકડાઉન ટૂંકું રહેશે, આ સમય દરમિયાન અમે દિલ્હીમાં બેડની સંખ્યામાં વધારો કરીશું.
દિલ્હી સરકારની વેબસાઇટ અનુસાર, હાલમાં દિલ્હીમાં 18130 બેડ છે, જેમાંથી 15104 ફુલ છે, જ્યારે 3026 બેડ ખાલી છે. એમ જ જો ICU બેડ વિશે વાત કરીએ તો કુલ 4206માંથી 4105 ભરાઇ ચૂક્યાં છે અને ફક્ત 101 આઇસીયુ બેડ જ ખાલી છે.
Read About Weather here
દિલ્હી સરકારે ઓક્સિજન અને રેમડેસિવિરના અભાવ અંગે કાર્યવાહી કરી છે, જે અંતર્ગત એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે, જે હેઠળ સપ્લાઇનો ડેટા રાખવામાં આવશે. સરકારે આ માટે નોડલ અધિકારીની નિમણૂક કરી છે.
કોરોનાને કારણે સ્થિતિ એટલી ખરાબ છે કે દિલ્હીની એક સ્કૂલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. અહીં ઓક્સિજનવાળાં 120 બેડ લગાવવામાં આવ્યાં છે. આ શાળાને LNJP હોસ્પિટલ સાથે જોડવામાં આવી છે. ઓછાં લક્ષણોવાળા દર્દીઓ અહીં લાવવામાં આવશે, ડોકટરોની ટીમ અલગ-અલગ શિફ્ટમાં કામ કરશે
નોંધનીય છે કે દિલ્હિમાં કોરોના સંકટને કારણે સ્થિતિ ખૂબ બેકાબૂ થઈ ગઈ છે. દિલ્હીની ઘણી મોટી હોસ્પિટલોમાં બેડ્સ નથી, ઓક્સિજન પણ મળી શકતો નથી. આ જ કારણ છે કે દિલ્હીમાં હવે આ કડક પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here