જાણો,દેશના ક્યાં રાજ્ય-શહેરમાં કેટલું લોકડાઉન???

રાજસ્થાન લોકડાઉન
રાજસ્થાન લોકડાઉન

દેશનાં અનેક રાજ્ય-શહેરોમાં વીકેન્ડ લોકડાઉન

Subscribe Saurashtra Kranti here

કોરોના સંક્રમણની બીજી લહેરને પગલે વધતા જતા કેસો પર અંકુશ મૂકવા માટે દેશમાં ઘણાં બધાં શહેરોની અંદર આજથી વીકેન્ડ લોકડાઉન લાદવાની શરૂઆત કરાઈ રહી છે. મુંબઈમાં આની અસર ખાસ વર્તાઈ રહી છે. સ્થાનિકો સવારથી માર્કેટમાં અને અન્ય દૃુકાનો પર સામાનની ખરીદી કરવા માટે મોટી માત્રમાં ઉપસ્થિત થઈ રહૃાા છે.

કોરોનાનું સંકટ ફરીથી દેશમાં પોતાનો સકંજો કસી રહૃાું છે, જેને પગલે સંક્રમણને રોકવા માટે સ્થાનિક પ્રશાસન કડકાઈ પણ વર્તી રહી છે. ભારતનાં ઘણાં રાજ્યો અને શહેરોમાં નાઈટ કર્ફ્યું જાહેર કરી દેવાયો છે. તો કેટલીક જગ્યાએ આજથી વીકેન્ડ લોકડાઉનની પણ શરૂઆત થવા જઈ રહી છે. ચલો તો નજર ફેરવીએ કયા શહેરમાં વીકેન્ડ લોકડાઉન લાગી રહૃાું છે….

આખા મહારાષ્ટ્રમાં આજથી વીકેન્ડ લોકડાઉનની શરૂઆત કરવામાં આવી છે, જે આખા એપ્રિલ સુધી યથાવત રહેશે, જેમાં શુક્રવારની સાંજથી સોમવારની સવાર સુધી સમગ્ર શહેરમાં લોકડાઉન લાદવામાં આવશે. મુંબઈ, નાગપુર, નાસિક, થાણે અને પુણે જેવાં શહેરોમાં કોરોનાવાયરસના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહૃાો છે, જેથી અહીં સંક્રમણને કાબૂમાં લેવા માટે વીકેન્ડ લોક-ડાઉનની આવશ્યકતા પણ રહેલી છે.

મુંબઈમાં વીકેન્ડ લોકડાઉનની શરૂઆતના થોડાક સમય પહેલાં જ બજારમાં ખરીદી કરવા માટે લોકોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. દાદરના શાક માર્કેટમાં મોટા પ્રમાણમાં લોકો ઊમટ્યા હતા.

મધ્યપ્રદેશનાં તમામ શહેરોમાં હવે વીકેન્ડ લોક-ડાઊન લાદવામાં આવશે, એટલે કે ભોપાલ, ઈન્દોર, છિંદવાડ. ગ્વાલિયર, જબલપુર સહિત દરેક શહેરમાં લોકડાઉન રહેશે. આ પ્રતિબંધ શુક્રવારે સાંજે ૬ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન માત્ર જરૂરી કાર્ય કરવા અર્થે લોકોને બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે.

મધ્યપ્રદૃેશના છિંદવાડામાં તો ૮ એપ્રિલથી ૭ દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું છે. કોલારમાં ૯ એપ્રિલથી ૯ દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે અને શાજાપુરમાં આજથી ૨ દિવસનું લોક-ડાઉન જાહેર કરાયું છે.

તમને જાણાવી દઈએ કે દેશનાં કેટલાંક રાજ્યોમાં માત્ર ગણતરીના જિલ્લાઓ અને પ્રદેશોમાં લોક-ડાઉન જાહેર કરાયું છે, પરંતુ મહારાષ્ટ્રના દરેક પ્રદેશમાં વીકેન્ડ લોક-ડાઉન લાદવામાં આવ્યું છે, જે શુક્રવારે સાંજે ૬થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી લાગુ રહેશે.

ગત વર્ષે માર્ચ-એપ્રિલમાં જે પ્રમાણે કડક લોક-ડાઉનનો અમલ કરાવાયો હતો એ રીતે. આ પણ બિલકુલ એવું જ રહેશે. લોકોને બિન-જરૂરી બહાર ફરવા પર પ્રતિબંધ અને શાકભાજીના વેચાણ અર્થે પણ પરવાનગી લીધેલી દૃુકાનોને જ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. એકદમ જરૂરી ક્ષેત્રના લોકોને જ કામ પર જવાની પરવાનગી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં તો માત્ર હોમ-ડિલિવરીની પરવાનગી આપવામાં આવી છે, એટલે કે કોઈપણ વ્યક્તિ હોટલમાં જઈને ખાઈ પણ નહીં શકે અને પેક પણ નહીં કરાવી શકે.

Read About Weather here

મુંબઈમાં કોરોના કહેરને પગલે પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. મુંબઈનાં કલ્યાણ, થાણે, દાદર, પનવેલ, CSMT અને LTT રેલ્વે સ્ટેશન પર હવે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાયું છે. કોરોના મહામારીને પગલે લોક-ડાઉનનો આભાસ થતાં લોકોની ભીડ સ્ટેશન પર આવતી રહેતી હતી. LTT સ્ટેશનમાં તો વતન તરફ પ્રયાણ કરતા મજૂરોની એટલી મોટી સંખ્યામાં ભીડ ઊમટી આવી હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી, તેથી ટિકિટોનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં પણ નાઈટ કર્ફ્યું, વીકેન્ડ લોક-ડાઉનના સંકટને કારણે પ્રવાસી મજૂરો પોતાના વતન તરફ પરત ફરી રહૃાા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here