કાશ્મીરમાં આતંકીઓ ભૂરાયા: ભાજપ નેતાના ઘર પર હુમલો

કાશ્મીરમાં આતંકીઓ ભૂરાયા: ભાજપ નેતાના ઘર પર હુમલો
કાશ્મીરમાં આતંકીઓ ભૂરાયા: ભાજપ નેતાના ઘર પર હુમલો

ચાર વર્ષની માસુમ બાળકનું મોત અન્ય ૭ ને ગંભીર ઈજા

આતંકીઓ સાથે અથડામણ બાદ શ્રીનગર- જમ્મુ હાઈ-વે બંધ કરાયો

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ ભારતીય સેનાના સખ્ત દબાણ છતાં ઘુરાયા થયા છે અને ફરીથી માથું ઊંચકી રહ્યા છે. રાજૌરી શહેરમાં આજે સવારે ત્રાસવાદીઓએ ભાજપ નેતાનાં ઘર પર ગ્રેનેડથી હુમલો કરતા 4 વર્ષના એક માસુમ બાળકનું મૃત્યુ થયું હતું. જયારે અન્ય ૭ ને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સુરક્ષાનો મોટો કાફલો સ્થળ પર ધસી ગયો હતો. સમગ્ર વિસ્તારને સીલ કરીને સલામતી સ્થળોએ જોરદાર અને વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જાણવા મળ્યું છે કે ભાજપના નેતા જશબીરસિંધની હત્યા કરવાના ઈરાદે ગ્રેનેડથી હુમલો કરાયો હતો. જો કે ભાજપ નેતા ઉગરી ગયા છે, એક બાળકનો ભોગ લેવાય ગયો છે અને બીજા ૭ ને ઈજા થવા પામી છે.

દરમ્યાન કાશ્મીર ગામના કુલ ગામ વિસ્તારમાં ત્રાસવાદીઓ સાથે અથડામણ થતા એક ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યો છે. બે જવાન અને એક નાગરિકને ઈજા થવા પામી છે. ખીણમાં તંગદિલી વધી ગઈ હોવાથી આજે જમ્મુ- શ્રીનગર હાઈ-વે બંધ કરી દેવામાં આવ્યો છે.

Read About Weather here

ખીણમાં વિસ્ફોટક પરિસ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. ક્ષસ્ત્રદળોએ ઠેર-ઠેર નાકાબંધી કરી છે. ભાજપ નેતાનાં ઘર પર હુમલો કરનારા ત્રાસવાદીઓને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here