વિરાટ કોહલી દિલ્હી બાદ હવે મુંબઈમાં પોતાની નવી રેસ્ટોરાં શરૂ કરવા જઈ રહ્યો છે.
વિરાટ કોહલીની રેસ્ટોરાંને લિજેન્ડરી સિંગર કિશોર કુમાર સાથે ખાસ કનેક્શન છે. ખરી રીતે તો વિરાટ કોહલી સ્વ. કિશોર કુમારના મુંબઈ સ્થિત બંગલામાં આ રેસ્ટોરાં શરૂ કરવાનો છે.
Visit Saurashtra Kranti Homepage here
વિરાટ કોહલીએ જુહૂમાં આવેલા આ બંગલાનો મોટો હિસ્સો ભાડે લીધો છે અને તેમાં હાઇ ગ્રેડ રેસ્ટોરાં બનાવી રહ્યો છે. ‘ઇ ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, બંગલામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે અને રેસ્ટોરાં લગભગ તૈયાર થઈ ગઈ છે. માનવામાં આવે છે કે વિરાટ કોહલી આવતા મહિને રેસ્ટોરાં શરૂ કરશે.

કિશોર કુમારના દીકરા અમિત કુમારે કહ્યું હતું કે, વિરાટ કોહલીએ સુમિત (કિશોર કુમાર-લીના ચંદાવરકરનો દીકરો)ને થોડાં મહિના પહેલાં મળ્યો હતો. બંને વચ્ચે આ અંગે વાતચીત થઈ હતી. ત્યારબાદ તેમણે બંગલાનો કેટલોક હિસ્સો પાંચ વર્ષ માટે લીઝ પર આપી દીધો હતો.

Read About Weather here
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ 2017માં દિલ્હીના આર કે પુરમમાં ‘નુએવા’ રેસ્ટોરાં શરૂ કરી હતી. આ ઉપરાંત દિલ્હીમાં જ ‘વન8 કમ્યૂન’ કરીને પણ એક રેસ્ટોરાં છે. વિરાટ UAE Royals (ટેનિસ ટીમ)નો કો-ફાઉન્ડર છે. તે Wrogn બ્રાન્ડનો પણ કો-ફાઉન્ડર છે. આ સાથે જ વિરાટ ઇન્ડિયન સુપર લીગમાં રમતી ટીમ FC Goaનો પણ કો-ફાઉન્ડર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here