રાહુલ ગાંધીએ આરએસએસની તુલના પાક.માં આતંકીઓને તૈયાર કરતા મદરેસાઓ સાથે કરી

Rahul-Gandhi-CONGRESS-CAA-ASSAM-કોંગ્રેસ
Rahul-Gandhi-CONGRESS-CAA-ASSAM-કોંગ્રેસ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંઘની તુલના પાકિસ્તાનમાં આતંકીઓને તૈયાર કરતા મદરેસાઓ સાથે કરી નાંખી છે.

પીએમ મોદી પર અવાર નવાર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ આજે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આરએસએસ પર પણ નિશાન સાધ્યુ હતુ. તેમણે કહૃાુ હતુ કે, આરએસએસ દ્વારા પોતાના સ્કૂલો થકી હુમલો કરાઈ રહૃાો છે. જે રીતે પાકિસ્તાન કટ્ટરપંથીઓ માટે મદરેસાઓનો ઉપયોગ કરે છે તે રીતે આરએસએસ પોતાની સ્કૂલોમાં એક વિશેષ પ્રકારની દૃુનિયા ભણનારા વિદ્યાર્થીઓને બતાવે છે.

કોઈ પૂછતુ નથી કે આરએસએસને આ પૈસા ક્યાંથી મળે છે. સેંકડો હજારો સ્કૂલો ચલાવવા માટે આ પૈસા ક્યાંથી આવે છે તે કોઈ પૂછતો નથી. આરએસએસ દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર કબ્જો કરવામાં આવી રહૃાો છે. તેમના હાથમાંથી શિક્ષણ વ્યવસ્થા પાછી લેવી પડશે અને આ આસાન કામ નથી. આપણે એક લાંબી ચાલનારી સમસ્યા સાથે મુકાબલો કરી રહૃાા છે.

જોકે સોશિયલ મીડિયા પર ઘણાને આ નિવેદન ગમ્યુ નથી અને લોકો તેની ટીકા પણ કરી રહૃાા છે. બીજી તરફ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહૃાુ હતુ કે, કોંગ્રેસના લોકોને મારે વગર માંગે એક સલાહ આપવી છે કે પપ્પુજીને તમે પોલિટિકલ પ્લે સ્કૂલમાં મોકલી આપો. જ્યાં તેમને દેશની સાચી હકીકત ખબર પડે. જો પ્લે સ્કૂલમાં જગ્યા ના હોય તો સરસ્વતી શિશુ મંદિરમાં જતા રહે તો ત્યાં તેમને ખબર પડશે કે શું ભણાવવામાં આવી રહૃાુ છે.