મિથુન ઇડીના ડરથી ભાજપમાં જોડાયા: તૃણમૂલ કોંગ્રેસ

પશ્ર્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ નેતાઓ તરફથી એક બીજા પર આકરા પ્રહારો થઈ રહૃાા છે. ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીને હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે નક્સલી ગણાવ્યા છે. ટીએમસીએ કહૃાું કે મિથુને ઈડીના ડરથી ભાજપનો હાથ પકડ્યો છે એટલું જ નહીં તેઓ આજના જમાનાના યુવા સ્ટાર નથી.

મિથુન ચક્રવર્તીના ભાજપમાં સામેલ થવા પર તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોગત રોયે કહૃાું કે મિથુન પહેલા સ્ટાર હતા પરંતુ હવે નથી. તે મૂળ રુપથી નક્સલી હતા. તે સીપીએમમાં સામેલ થયા પછી ટીએમસીમાં આવ્યા અને રાજ્યસભા સાંસદ બની ગયા. ભાજપે તેમને ઈડીનો ડર બતાવ્યો અને તેમણે રાજ્યસભા પદ છોડી દૃીધુ. હવે ભાજપમાં સામેલ થયા છે. સોગતે કહૃાું કે તેમની કોઈ વિશ્ર્વસનીયતા નથી. અને ન લોકોની વચ્ચે તેમનો કોઈ પ્રભાવ છે.

ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહૃાું કે મોટા અભિનેતા અનેક પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા છે. મિથુન ચક્રવર્તી પણ એ જ કરી રહૃાા છે. એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જઈ રહૃાા છે. ઘોષે કહૃાું ચક્રવર્તીએ કહૃાું છે કે તે લોકો માટે કામ કરવા ઈચ્છે છે. તો સૌપ્રથમ તેમણે ઈંઘણના ભાવ વધારા વિશે કંઈક કહેવું જોઈએ.
સીપીઆઈના વરિષ્ઠ નેતા સુજન ચક્રવર્તીએ કહૃાું કે લોકો મિથુન જેવા પક્ષ પલટુઓ પર ક્યારેય ભરોસો નહીં કરે અને તેમના ભાજપમાં સામેલ થવાથી ચૂંટણીઓ પર કોઈ અસર નહીં પડે.