ભારત હવે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસ કરશે, કેબિનેટે આપી લીલીઝંડી

ભારત હવે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસ કરશે. વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી કેબિનેટે આજે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસને મંજુરી આપી દૃીધી છે. મિસાઈલના નિકાસને ઝડપથી મંજુરી દેવા માટે એક સમિતિ બનાવવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથિંસહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

આકાશ મિસાઈલ સિસ્ટમ ૯૬%થી વધારે સ્વદેશકરણ સાથે દેશની મહત્વપૂર્ણ મિસાઈલોમાંથી એક છે. આકાશ એક મધ્યમ અંતરની જમીનથી હવામાં હુમસો કરનારી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. જેને ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી છે. તેની રેંજ ૨૫ કિમી છે. નિકાસ કરવા માટે બનાવવામાં આવેલી આકાશ મિસાઈલનું વર્ઝન વર્તમાન ભારતીય સશસ્ત્ર દલો સાથે તૈનાત સિસ્ટમથી જુદૃું હશે.

રક્ષામંત્રી રાજનાથિંસહે કહૃાું કે, નિકાસ કરવામાં આવનારી મિસાઈલ સિસ્ટમ વર્તમાન ભારતીય સશસ્ત્ર દૃળો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલા વર્ઝનથી અલગ હશે.
તેમણે કહૃાું, મંત્રીમંડળના આ નિર્ણયથી દેશને પોતાના રક્ષાઉત્પાદનોને સારા બનનાવવા અને તેને વિશ્ર્વસ્તરે પ્રતિસ્પર્ધિ બનાવવામાં મદદ મળશે. ભારત સરકારે ૫ બિલિયન અમેરીકી ડોલરના ડિફેન્સ એક્સપોર્ટના લક્ષ્યને સાધવા અને મૈત્રીપૂર્ણ દેશોની સાથે રણનૈતિક સંબંધો સારા બનાવવા માટે આ પગલું ભર્યું છે.