ભારતે કેનેડાને કોરોના રસી આપતા વડાપ્રધાન મોદીના ઠેર-ઠેર પોસ્ટ લાગ્યા

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેનેડામાં ભરપેટ વખાણ થઈ રહૃાા છે. ગ્રેટર ટોરન્ટોમાં રસ્તાઓ પર મોટા મોટા પોસ્ટર લાગ્યા છે. જેમાં પીએમ મોદીનો આભાર વ્યક્ત કરાયો છે. વાત જાણે એમ છે કે ભારતે કેનેડાને કોરોના રસી ઉપલબ્ધ કરાવી હતી. જેના માટે થઈને કેનેડામાં પીએમ મોદીના પોસ્ટરવાળી જાહેરાતો લાગી છે.

કોરોના મહામારી વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ દૃુનિયાભરના દેશોને રસી આપવાનું કામ કર્યું છે. જેને લઈને અનેક દેશોએ ભારતના વખાણ કર્યા છે. ભારતે હાલમાં જ કેનેડા ઉપરાંત નેપાળ અને બાંગ્લાદેશ સહિત અનેક દેશોને કોરોનાની રસી પહોંચાડી હતી અને કોરોના મહામારી સામે લડવામાં મદદ કરી રહૃાું છે.

અત્રે જણાવવાનું કે હાલમાં જ કેનેડાના મંત્રી અનીતા આનંદે જણાવ્યું કે ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ નિર્મિત કોવિશીલ્ડ રસીના ૫ લાખ ડોઝનો પહેલો જથ્થો કેનેડા પહોંચ્યો હતો. આ સાથે જ તેમણે કહૃાું હતું કે અમે ભવિષ્યના સહયોગ માટે તત્પર છીએ. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રસી આપવા માટે ભલામણ કરી હતી. જેન જેના પર પીએમ મોદીએ આશ્ર્વાસન આપ્યું હતું કે કેનેડાએ કોવિડ રસીના જેટલા ડોઝ માંગ્યા છે, તેનો સપ્લાય સંપૂર્ણ રીતે સુનિશ્ર્ચિત કરવા માટે ભારત તમામ પ્રયત્નો કરશે.