ભાજપ દૂધ માંગશે તો ખીર આપશું,પરંતુ બંગાળ માંગશે તો ચીરી નાંખીશું

ટીએમસી નેતા મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન

બંગાળ વિધાનસભાની ચૂંટણીને લઈ માહોલ ગરમાઈ રહૃાો છે. દિલ્હીમાં ટીએમસીના ૫ નેતાઓ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન ટીએમસી નેતા મદન મિત્રાએ બંગાળમાં ભાજપના નેતાઓ પર મોટો હુમલો કર્યો છે. મદન મિત્રાએ કહૃાું છે કે જો ભાજપ દૂધ માંગશે તો અમે ખીર આપશું, પરંતુ જો બંગાળ માગશે તો ચીરી નાખશું. આ સિવાય તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા હતા.

ઉત્તર ૨૪ પરગણામાં ચૂંટણી સભાને સંબોધન કરતાં ટીએમસી નેતાએ ભાજપ માટે અનેક ધમકીભર્યા શબ્દૃોનો ઉપયોગ કર્યો હતો. મદન મિત્રાએ કહૃાું કે હું સવારની સભામાં હાજરી આપીશ અને સાંજે મસાલા (શસ્ત્રો) લઈને આવીશ. મદન મિત્રાએ ઉત્તર ૨૪ પરગણાના અશોક નગરમાં સભાને સંબોધન કરી હતી ત્યારે જ આવા આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

મદન મિત્રાએ કહૃાું કે, હું રાત્રિના સમયે રાજકારણનો મસાલો લઈવે આવીશ, આ મસાલા (હથિયાર) શું છે તેના વિશે હું કોઈને નહીં કહું. તેણે ભાજપ નેતાઓને ધમકી આપતા કહૃાું કે તમે લોકો જે મસાલા (હથિયાર) નો ઉપયોગ કરો છો, અમે પણ તે જ મસાલાનો ઉપયોગ કરીશું. આ જ દિવસે મદન મિત્રાએ ભાજપના નેતાઓને હિન્દીમાં ધમકી આપી હતી અને કહૃાું હતું કે, જો તમે દૂધ માંગશો, તો અમે ખીર આપશું, પણ જો બંગાળ માગશો તો ચીરી નાખશું. ટીએમસી નેતા મદન મિત્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા હતા.