જીવતા દર્દીને મૃત જાહેર કર્યા : ડેથ સર્ટી. પણ બનાવી દીધું

જીવતા દર્દીને મૃત જાહેર કર્યા
જીવતા દર્દીને મૃત જાહેર કર્યા

રવિવારની સવારે ૧૦ કલાકે જણાવાયું કે, દર્દીની સ્થિતિ ખરાબ છે

મુખાગ્નિ આપતા પહેલા એક વખત મૃત દર્દીનો ચહેરો જોવાની માંગ કરી,

Subscribe Saurashtra Kranti here

બિહારની સૌથી મોટી હોસ્પિટલ પટણા મેડિકલ કોલેજ એન્ડ સાયન્સ (પીએમસીએચ)ની ગંભીર બેદરકારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કર્મચારીઓએ કોરોનાગ્રસ્ત જીવિત દર્દીનું ડેથ સર્ટિફિકેટ બનાવી દૃીધું એટલું જ નહીં, પણ પરિવારજનોને બીજા મૃત દર્દીની લાશ પણ શોંપી દીધી. આ ગંભીર ભૂલ પરથી પડદો ત્યારે ઉઠ્યો કે જયારે દર્દીના પરિવારે મુખાગ્નિ આપતા પહેલા એક વખત મૃત દર્દિનો ચહેરો જોવાની માંગ કરી. ચહેરો જોતાં જ પરિવારજનો આઘાતમાં મૂકાઈ ગયા, કેમકે એ મૃતદેહ બીજા કોઈ દર્દિનો હતો.

જયારે આ વાત પર હંગામો થયો તો હોસ્પિટલ દ્વારા મૃતદેહને સ્મશાનેથી પાછો લઈ આવવા કહૃાું. હકીકતમાં, બિહારના બાઢ ગામના રહેવાસી ચુન્નુંને ૯ એપ્રિલે કોરોના થતા પીએચસીએચ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં એડમિટ કરાયો હતો. આ દરમિયાન પરિવારજનોને તેને મળવાની મંજૂરી નહોંતી અપાતી. રવિવારની સવારે ૧૦ કલાકે જણાવાયું કે, દર્દીની સ્થિતિ ખરાબ છે. તે પછી થોડી જ વારમાં ચુન્નુંને હોસ્પિટલે મૃત જાહેર કરી દીધો અને બધી જરૂરી કાર્યવાહી પૂરી કરી દીધી.

ચુન્નુંના ભત્રીજા મનીષે જણાવ્યું કે, જયારે અમે લોકો હોસ્પિટલ પહોંચ્યા તો તેમનો ચહેરો બતાવાયો નહીં. તેમને કહેવાયું કે, ચુન્નુંના મૃતદેહને સ્મશાને મોકલવામાં આવી રહૃાો છે. સ્મશાને જયારે ચહેરો જોયો તો જાણવા મળ્યું કે, આ તો કાકાનો મૃતદેહ નથી. હકીકત એ છે કે, ચુન્નું હજુ જીવિત છે અને તેની સારવાર ચાલી રહી છે.

Read About Weather here

આ મામલે તપાસના આદેશ અપાયા છે. પટણાના જિલ્લાધિકારીએ ડો. ચંદ્રશેખર સિંહે આ મામલે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે આ મામલે જવાબદારી નક્કી કરવા અને દોષી સામે કડક કાર્યવાહી કરી ૨૪ કલાકમાં જવાબ આપવા પીએચસીએચના વહિવટી તંત્રને જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here