ગુસ્સામાં બાળકોને થપ્પડ મારતા પહેલા 100 વખત વિચારજો

બાળકોને થપ્પડ
બાળકોને થપ્પડ

થપ્પડ મારવાથી બાળકના માનસિક વિકાસ થઇ શકે ગંભીર અસર

હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને ચેતવણી

Subscribe Saurashtra Kranti here

ભારતમાં બાળકોને સજા આપવા માટે વાલી અથવા માતા-પિતા થપ્પડ મારે છે. આપણામાંથી કેટલાય એવા હશે જેમણે બાળપણમાં થપ્પડ ખાધા હશે. પરંતુ હવે હાવર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે બાળકોને થપ્પડ મારવાથી તેમના મગજ પર ગંભીર અસર પડી શકે છે. આ માટે વૈજ્ઞનિકોએ ૧૪૭ બાળકોના મગજ પર થપ્પડની અસરની તપાસ કરી છે.

સંશોધકોને જાણવા મળ્યું કે થપ્પદ, કુપોષણ અને હિંસા બરાબર જ બાળકોના માનિસક વિકાસને અસર કરી શકે છે. આ સંશોધન દરમિયાન જે બાળકોને થપ્પદ મારી હતી, પ્રીકંટલ કોર્ટેકસ(પીએફ્સી)ના કેટલાક ક્ષેત્રોમાં ન્યૂરલ રિસ્પોન્સ જોવા મળ્યો છે. આ બાળકોના નિર્ણય લેવાની શકિત અને પરિસ્થિતિને જાણવાની તાકાત ખત્મ થઈ શકે છે. અમેરિકામાં બાળકોને થપપડ મારી એ ગેરકાનૂની છે, જયારે બ્રિટનના સ્કોટલેન્ડ ૨૦૨૦થી બાળકોને શારીરિક દંડ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ઈંગ્લેન્ડમાં માતા- પિતા બાળકોને થપ્પળ તો મારી શકે છે, પરંતુ તેને ઈજા કે સોજો આવવો જોઈએ નહીં. જો બાળકોના શરીર પર થ્રપ્પડની અસરજોવા મળે તો બ્રિટનમાં સંબંધિત માતા-પિતા વિરૂદ્ઘ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

Read About Weather here

હાર્વર્ડ ટીમની નવી શોધ વર્તમાન સ્ટડી પર આધારીત છે, જે બાળકોના મગજના કેટલાક ક્ષેત્રોમાં સક્રિય ગતિવિધિ દેખાડે છે. આ સંશોધનના લેખક અને હાર્વર્ડના મનોવૈજ્ઞાનિક વિભાગના પ્રોફેસર કેટી.એ એ કહ્યું કે અમે જાણીએ છીએ કે જે બાળકોના પરિવારો શારીરિક દંડનો ઉપયોગ કરે છે, એ બાળકોમાં ચિંતા, હતાશા ઉપરાંત અન્ય માનસિક રવાસ્થ્ય સમસ્યાઓ હોઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here