ખેડૂત આંદોલનને સમર્થન કરતા ૨૫૦ ટ્વિટર એકાઉન્ટને સરકારે સસ્પેન્ડ કર્યા


કિસાન આંદો લન વચ્ચે પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત ટ્વીટ કરનાર પર સરકારે આકરા પગલા ભર્યા છે. આઈટી મંત્રાલયે ટ્વિટરને ૨૫૦ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપ્યા છે. ત્યારબાદ તે તમામ એકાઉન્ટ તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

#ModiPlanningFarmerGenocide હેશટેગથી ટ્વીટ કરવામાં આવી રહૃાાં છે. શનિવારથી આ હેશટેગ ટ્રેન્ટમાં હતો. તેમાંથી ઘણા ટ્વીટ/ટ્વિટર એકાઉન્ટ વિદેશથી ચાલી રહૃાાં છે. સસ્પેન્ડ થનારા ઘણા એકાઉન્ટ/ટ્વીટ કિસાન યુનિયન અને કિસાન નેતાઓથી સંબંધિત પણ છે. ગૃહ મંત્રાલયના નિર્દેશ પર આઈટી મંત્રાલયે ટ્વિટરને આ નિર્દેશ આપ્યો હતો.

કારવાં મેગેઝિન અને એક્ટર સુશાંતસિંહના ટ્વિટર હેન્ડલને હોલ્ડ કરવામાં આવ્યા. કારવાં મેગેઝિન વિરુદ્ધ દિલ્હી પોલીસે ખોટા સમાચાર ફેલાવવાનો કેસ નોંધ્યો છે અને સુશાંતસિંહ કિસાનોના સમર્થનમાં ટ્વીટ કરી રહૃાો હતો અને ઘણી ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી હતી. પ્રસાર ભારતીના CEOનું ટ્વિટર હેન્ડલ પણ હોલ્ડ કરવામાં આવ્યું. આ સંબંધમાં પ્રસાર ભારતીએ ટ્વિટર પાસે જવાબ માંગ્યો છે. સૂત્રો પ્રમાણે કોઈપણ પ્રકારની કાયદો-વ્યવસ્થાની સ્થિતિને જોતા સરકારે આ નિર્ણય કર્યો છે.