કોરોના વેક્સિન માટે સરકારે ફાળવી જંગી રકમ, ૩૫ હજાર કરોડના ફંડની જાહેરાત

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને બજેટ ૨૦૨૧-૨૨માં કોરોના વેક્સિનના વિકાસ માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ફંડની જાહેરાત કરી છે. આ ફંડનો ઉપયોગ દેશમાં કોરોના વેક્સિનના વિકાસ, વિતરણ અને રસીકરણ માટે કરવામાં આવશે.

નાણાં મંત્રીએ બજેટ રજૂ કરતાં કહૃાું કે, આજે ભારતમાં બે વેક્સિન ઉપલબ્ધ છે. જેનાથી અમે દેશના નાગરિકોના જીવનની રક્ષા કરી રહૃાાં છે. અમે ૧૦૦થી વધુ દેશોને પણ કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેમણે કહૃાું કે, આ ખૂબ જ રાહત આપનારી વાત છે કે ટૂંકમાં જ દેશમાં બે વધુ વેક્સિન આવનારી છે.

નિર્મલા સીતારમને કહૃાું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપીને આ વેક્સિન લોન્ચ કરી છે. તેમણે કહૃાું કે, વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૩૫ હજાર કરોડ રૂપિયા કોરોના વેક્સિન માટે આપવામાં આવ્યા છે અને જો જરૂર પડશે તો આના માટે સરકાર વધુ નાણાં આપવા માટે તૈયાર છે. સ્વાસ્થ્ય અને કલ્યાણ ક્ષેત્ર માટે ૨.૨૩ લાખ કરોડ રૂપિયા છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં ૧૩૭ ટકાથી વધુ વધારો કરાયો છે.