કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંઘ શેખાવતને રાજસ્થાન હાઇકોર્ટની નોટિસ

સંજીવની ક્રેડિટ સોસાયટીના કૌભાંડ મામલે

સંજીવની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના કરોડો રૂપિયાના કૌભાંડના કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે કેન્દ્ર સરકાર સહિત ૧૭ વ્યક્તિને નોટિસ મોકલી હતી જેમાં કેન્દ્રના પ્રધાન ગજેન્દ્ર સિંઘ શેખાવતનો પણ સમાવેશ થયો હતો.

આ કિસ્સાની વિગતો કંઇક આ પ્રકારની છે. ૨૦૦૮માં રાજસ્થાન સોસાયટી એક્ટ હેઠળ સંજીવની કો-ઓપરેટિવ સોસાયટી રચવામાં આવી. એના પહેલા મેનેિંજગ ડાયરેક્ટર વિક્રમ સિંઘ હતા. જે ૧૭ જણને હાઇકોર્ટે નોટિસ મોકલી છે એમાં વિક્રમ સિંઘનો પણ સમાવેશ થાય છે.

૨૦૧૦માં આ સોસાયટીને મલ્ટિ સ્ટેટ સોસાયટી તરીકે પરિવર્તિત કરાઇ. બોગસ પોસ્ટરો અને પ્રચાર દ્વારા હજારો લોકો પાસે મૂડી રોકાણ કરાવાયું. આશરે ૯૦૦ કરોડનું આ કૌભાંડ હતું. જેમણે મૂડી રોકાણ કર્યું હતું એમને વ્યાજ કે ડિવિડન્ડ તો ઠીક, મૂળ રકમ પણ પાછી મળી નહોતી. રાજસ્થાન હાઇકોર્ટમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર ડિવિઝનલ બેંચ સમક્ષ એની સુનાવણી નીકળી હતી. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ મોકલી હતી.

આ કૌભાંડની પાછળ મેનેિંજગ ડાયરેક્ટર વિક્રમ સિંઘનું ભેજું હોવાનું કહેવાય છે. તેમની ધરપકડ પણ પોલીસે કરી હતી.