આરટીઆઈ એક્ટ હેઠળ અરજી કરીને બંગાળમાં બોમ્બ બનાવવાની કેટલી ફેક્ટરીઓ
અમિત શાહે મમતા બેનરજી સરકારને નિષ્ફળ ગણાવવા કહેલી વાત તેમને જ ભારે પડી રહી છે. શાહે ઓક્ટોબરમાં એક ટીવી ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, મમતા બેનરજીના શાસનમાં બંગાળ બરબાદ થઈ ગયું છે અને કાયદો-વ્યવસ્થા છે જ નહીં, દરેક જિલ્લામાં બોમ્બ બનાવવાની ફેક્ટરી છે.
Subscribe Saurashtra Kranti here.
શાહના આ દાવા પછી આરટીઆઈ એક્ટ હેઠળ અરજી કરીને બંગાળમાં બોમ્બ બનાવવાની કેટલી ફેક્ટરીઓ છે તેની માહિતી ગૃહ મંત્રાલય પાસે માગવામાં આવી હતી. ગહ મંત્રાલયે જવાબ આપ્યો છે કે તેની પાસે બંગાળની બોમ્બ ફેક્ટરીઓ અંગે કોઈ માહિતી નથી. ગૃહ મંત્રાલયે આ માહિતી માટે બંગાળ પોલીસનો સંપર્ક કરવા સલાહ આપી છે.
Read About Weather here
શાહનો ઈન્ટરવ્યૂ અને ગૃહ મંત્રાલયનો જવાબ સાથે મૂકીને સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહૃાા છે કે, શાહના પોતાના મંત્રાલય પાસે જેની માહિતી નથી એ વિગતો શાહ ક્યાંથી લઈ આવ્યા ? લોકો કટાક્ષ પણ કરી રહૃાા છે કે, શાહે બંગાળના દરેક જિલ્લાની બોમ્બ ફેક્ટરીનું એડ્રેસ જાહેર કરવું જોઈએ કે જેથી બંગાળના અર્થતંત્રને પ્રોત્સાહન મળે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here