અલ કાયદાના નેતા ઓમર શેખને આજે પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાશે

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

સિંઘ હાઇકોર્ટે મુક્તિનો આદેશ આપ્યો

પત્રકાર ડેનિયલ પર્લના હત્યારા જેલમુક્ત થશે, અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી

બ્રિટનમાં જન્મેલા મૂળ પાકિસ્તાની એવા અલ કાયદૃા આતંકવાદી સંગઠનના નેતા ઓમ સઈદ શેખ તેમજ તેના ત્રણ સાગરિકોને જેલમાંથી મુક્ત કરવા કરાચીની કોર્ટે ગુરુવારે આદૃેશ આપતા તમામને આવતીકાલે મુક્ત કરાશે. ઓમર સઈદ શેખ સહિત ચાર લોકોને ૨૦૦૨માં અમેરિકાના વર્તમાનપત્ર ધ વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ડેનિયલ પર્લની ગળું કાપીને હત્યા કરવાના ગુનામાં દોષી ઠેરવી સજા કરવામાં આવી હતી. ઓમર શેખ અલ કાયદાનો નેતા હતો અને તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો પરંતુ તેણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું નહતું. ૧૯૯૪માં ભારતમાં દિલ્હી ખાતે વિદેશી પ્રવાસીઓના કેડિનેિંપગના કેસમાં ઓમર શેખની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અમેરિકામાં ટ્વીન ટાવર પર ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના થયેલા આતંકવાદૃી હુમલામાં સંડોવાયેલા એક આતંકવાદીને નાં ટ્રાન્સ્ફર કરવાનો પણ ઓમર પર આક્ષેપ હતો.

૧૯૯૯માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે પાકિસ્તાની આતંકવાદીઓએ ઈન્ડિયન એરલાઈન્સનું કાઠમંડુથી અપહરણ કર્યું હતું અને લાઈટને અફઘાનિસ્તાનના કંદૃહાર લઈ જવામાં આવી હતી. આતંકવાદીઓએ તે સમયે ત્રણ આતંકવાદૃીઓ ઓમર શેખ, મસુદ અઝહર અને મુશ્તાક અહેમદ ઝરગરને ભારતની જેલમાંથી છોડવા માંગ કરી હતી. ૧૫૦ મુસાફરોના જીવના બદલામાં ભારત સરકારે આ માગણી સ્વીકારી અને ત્રણેય આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. બાદમાં મસુદ અઝહરે જૈશ-એ-મોહમ્મદની સ્થાપના કરી હતી.

અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના દોષી અને સજા કાપી રહેલા ઓમર શેખ તેમજ તેના ત્રણ સાગરિતો ફહદૃ નસીમ, સલમાન સકીબ અને શેખ આદિલને જેલમાંથી મુક્ત કરવા પાકિસ્તાનની કોર્ટે ગુરુવારે આદૃેશ આપ્યો હતો. જસ્ટિસ એ કે આગાની વડપણ હેઠળની સિંઘ હાઈ કોર્ટની બે જજની બેન્ચે એજન્સીઓને આદેશ કરી ઓમર શેખ તેમજ તેના સાગરિતોને કેદમાં નહીં રાખવા જણાવ્યું હતું. આ સાથે જ ઓમર અને તેના સાથીઓ વિરુદ્ધના સિંઘ સરકારના તમામ આદેશોને રદ કરવા જણાવ્યું હતું. કોર્ટે ચારેય લોકોની અટકાયત ગેરકાયદૃે હોવાનું તારણ કાઢ્યું હતું.

જેલ સુપ્રીટેન્ડન્ટના મતે કરાચી મધ્યસ્થ જેલનો ઓર્ડર મળવામાં થયેલા વિલંબથી તમામને કરાચી મધ્યસ્થ જેલમાંથી ગુરુવારે મુક્ત કરી શકાયા નહતા. ચારેયના વકીલે જણાવ્યા મુજબ શુક્રવારે જાહેર રજા હોવાથી હવે તમામનો શનિવારે જેલમાંથી છૂટકારો થશે.