શહેરના જમાલપુર શાકમાર્કેટ પાસે શાકભાજી લૂંટી થયો ફરાર

અમદાવાદ શહેરમાં દરરોજ ગુનાખોરીના કિસ્સાઓ વધતા જોવા મળી રહૃાા છે. શહેરના જમાલપુર શાકમાર્કેટ પાસે શાકભાજી લૂંટવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ ફકત ૭૦૦ રુપિયાની શાકભાજી લૂંટી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ગાયકવાડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શાહ આલમમાં રહેતા દર્શન ગાંધીએ ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જમાલપુર શાક માર્કેટના ગેટ નંબર ૦૪ પાસેની દુકાનમાં વહેલી સવારે આઇસર ગાડી આવી હતી.

જેમાં ભીંડાના કાર્ટૂન હતા અને આઈસરમાંથી આ કાર્ટૂનને દુકાનમાં ઉતારવામાં આવી રહૃાા હતા. તે સમયે રમજાન નામના આરોપી ત્યા આવ્યો હતો અને ગાળો આપી બળજબરી પૂર્વક તેના કાર્ટૂન લઈ નાશી ગયો હતો. જેથી આરોપી રમજાન સામે ૭૦૦ રુપિયાની લૂંટની ફરિયાદ દર્શન ભાઈએ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, કોટ વિસ્તારમાં ગુનાઓના કિસ્સાઓ વધતા જઈ રહૃાા છે, જેથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ પણ જોવા મળી રહૃાો છે. થોડાક દિવસો પહેલા જ જમાલપુરમાં વીજ ચેંકિગ કરવા આવેલ ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.