વડોદરામાં કોરોના થવાના ડરથી ધો-૧૨ સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત

સ્યૂસાઇડ
સ્યૂસાઇડ

કોરોનાની મહામારીના કારણે અનેક લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. કેટલાક લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે, ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા કિશોરે કોરોના થઇ જવાના ડરથી ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ ત્યારથી વિદ્યાર્થી ઘરની બહાર નીકળતો ન હતો અને તે કહેતો હતો કે, જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી હું ઘરની બહાર નહીં નીકળુ.

વડોદૃરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી કેશવ ગ્રીન સોસાયટીમાં રહેતા પારસ ઝા(ઉં.૧૫) નામના કિશોરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેને પગલે પરિવારજનોએ માંજલપુર પોલીસને જાણ કરી હતી, આ બનાવ અંગે જાણ થતાં પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચી ગઇ હતી અને કિશોરના મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેનાર પારસ ધો-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ છે.

ત્યારથી તે ઘરની બહાર નીકળતો ન હતો. પારસ સતત ડિપ્રેશનમાં રહેતો હતો. તે કહેતો હતો કે, જ્યાં સુધી કોરોનાની વેક્સિન નહીં આવે ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળું. આખરે વિદ્યાર્થીએ કોરોનાની મહામારીના ડરથી આપઘાત કરી લઇ જીવાદૃોરી ટુંકાવી લીધી હતી. જેને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માંજલપુર પોલીસે હાલમાં આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.