હવે તમામ જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 50 ટકા કે વધુમાં વધુ 150 લોકોને મંજૂરી
રાત્રી કર્ફ્યુ પણ સવારે 6 વાગ્યા સુધી લંબાવાયો
12મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે
દિવસેને દિવસે કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનન 7476 કેસ નોંધાયા. તેમજ 3 દર્દીઓના મૃત્યુ થયા. કોરોનાની આ પરિસ્થિતિ બીજી લ્હેર જેવા મળી તેવી પરિસ્થિતિમાં પુનરાવર્તન થાય તેના પરિણામે સરકાર પહેલેથી જ સતર્ક થઈ ગઈ છે.
સૌપ્રથમ તો રાજ્યના ૧૦ મહાનગરોમાં રાત્રી કર્ફ્યું જાહેર કર્યું. તેમજ સરકાર દ્વારા તે ગાઈડલાઈન્સમાં ફેરફાર કરી આજથી ફરી નવા નિયંત્રણો લગાવામાં આવ્યા છે.
ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર થયા છે. હવે જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 50 ટકા કે વધુમાં વધુ 150 લોકોને મંજૂરી અપાઈ છે. જયારે રાત્રી કર્ફ્યુ પણ સવારે 6 વાગ્યા સુધી લંબાવાયો છે.
આ નિયંત્રણોનો અમલ તા. 12 જાન્યુઆરી થી 22 જાન્યુઆરીના સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે.
કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદારહેશે.
તમામ પ્રકારના રાજકીય,સામાજિક,શૈક્ષણિક,સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લામાં 150 લોકો અને બંધ સ્થળોએ ક્ષમતાના 50 ટકા અથવા મહત્તમ 150 લોકોને મંજૂરી અપાઈ છે.
બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે.
Visit Saurashtra Kranti Homepage here
રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે.
Read About Weather here
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here