રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોવાનું સરકારે કબૂલ્યું

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

રાજ્યમાં રોજની સરેરાશ ૨ કરતાં વધુ લૂંટની ઘટનાઓ, રોજની ૩ ખૂનની અને ૩૦ ચોરીની ઘટનાઓ, રોજની ૪ કરતાં વધુ બળાત્કારની ઘટના બની, રોજની ૭ અપહરણની તો રોજની ૨૦ આત્મહત્યાની ઘટનાઓ બની. રોજની ૫૭ અપમૃત્યુ અને ૩૭ આકસ્મિક મૃત્યુની ઘટનાઓ બની, રાજ્યમાં છેલ્લાં ૨ વર્ષમાં ૧૫૨૦ લૂંટની ઘટનાઓ બની, ૧૯૪૪ ખૂનની, ૩૭૦ ધાડની, ૨૧૯૯૫ ચોરીની ઘટનાઓ બની.

છેલ્લાં બે વર્ષમાં ૩૦૯૫ દૃુષ્કર્મની તો ૪૮૨૯ અપહરણની ઘટનાઓ બની. આત્મહત્યાના ૧૪૪૧૦, ઘરફોડના ૬૧૯૦, રાયોટીંગના ૨૫૮૯ બનાવો બન્યા. આકસ્મિક મૃત્યુના ૨૭૧૪૮, અપમૃત્યુના ૪૧૪૯૩ બનાવો નોંધાયા. રાજ્યમાં ખૂનની કોશિશની ૧૮૫૨૩ ઘટનાઓ નોંધાઈ છે. પોલીસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર ૪૦૪૩ આરોપીની ધરપકડ કરી હતી.