વિસર્જન માટે નીકળનાર મંડળ કે લોકોએ વાહનની અગાઉથી નોંધણી કરાવવાની રહેશે
રાજકોટ : કોરોનાની ત્રીજી લહેરનો ખતરો ઝળુંબી રહ્યો છે ત્યારે રાજકોટમાં ગણેશોત્સવમાં ભીડ ન થાય તેમજ ગણેશ વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરાશે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે, રાજકોટમાં ગણેશ વિસર્જન વખતે પણ લોકોની ભીડ ન થાય તે માટે કૃત્રિમ કૂંડ મુકવાની પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેમજ વિસર્જન માટે જનારા વાહનોની નોંધણી અગાઉથી કરાવવાની રહેશે. ગણેશોત્સવમાં પણ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરીજનો ગણેશોત્સવ આસ્થાભેર ઉજવે પરંતુ આસ્થાની સાથે પ્રવર્તમાન સ્થિતિમાં તકેદારી પણ આવશ્યક છે.
Read National News : Click Here
ગણેશોત્સવમાં પંડાલ પર પૂજા, આરતી, પ્રસાદ વિતરણ થઇ શકશે પરંતુ અન્ય કોઇ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકો એક વાહનમાં જઇ શકશે. ઘરે સ્થાપન કરાયું હોય તો ગણેશજીનું ઘરે જ વિસર્જન થાય તે હિતાવહ રહેશે. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે.
રાજકોટમાં કૃત્રિમ કુંડ ખાતે પણ ભીડ એકઠી કરી શકાશે નહી. તા.9 થી 19 સપ્ટેમ્બર સુધી રાત્રીના 12 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ પડશે જોકે ગણેશ પંડાલ અને મંડપમાં રાત્રીના 11 વાગ્યા સુધી જ દર્શનની મંજૂરી આપવામાં આવશે. ગણેશ વિસર્જન માટે જે વાહનો લઇ જવાના હોય તે વાહનની અગાઉથી જ નોંધણી કરાવવાની રહેશે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here